________________
૨૦૮ જુનાગઢ અને ગિરનાર
રિબંદર રાજ્ય સાથે ર૨ ગામે મજમુ હતાં. તે માટે પણ આસિસ્ટંટ પિલિટિકલ એજન્ટ કેપ્ટન લેઈડ પાસે જૂનાગઢ વતી શ્રી નરસિંહપ્રસાદ હરિપ્રસાદ બૂચે અને પાછળથી શ્રી નરસિંહદાસ સંતોકરામે અને અંતમાં શ્રી ન્યાલચંદ રૂપશંકરે રજૂઆત કરી. પોરબંદર તરફથી શ્રી કરમચંદ ગાંધી તથા શ્રી મોતીલાલ રામજીએ રજૂઆત કરતાં જૂનાગઢને ૧૮ ગામો અને રિબંદરને ૪ ગામો મળ્યાં.
આ કામગીરી બદલ શ્રી નરસિંહપ્રસાદ બૂચને સમઢિયાળા ગામ ઈનામમાં મળ્યું. બાબરિયાવાડ
ઈ. સ. ૧૮૬૪માં બાબરિયાવાડના કાઠી અને આહીર મૂળ ગિરાસિયાઓએ એવો દાવો કર્યો કે તેઓ સ્વતંત્ર છે અને નવાબને આધીન નથી. એજન્સીએ તે માટે સંપૂર્ણ તપાસ કરી એ નિર્ણય આપ્યો કે આ ગામો ઉપર હકૂમત જૂનાગઢ રાજ્યની છે અને ગિરાસિયાઓને માત્ર મહેસૂલી હકકે જ છે. જુનાગઢ ત્યાં થાણું મૂકવા ભેરાઈની પસંદગી કરી તથા પ્રભાસપાટણના દેશાઈ મયાશંકર જેશંકરને એક મજબૂત સેના આપી થાણદાર તરીકે નીમ્યા. પોતાને હક્ક પ્રતિપાદિત કરવા થડા જ સમયમાં રાજ કડિયાળીની એક પાટી અને કંથારિયાની એક પાટી ખાલસા કરી તથા નાગેશ્રી પાસે મીઠાપુરમાં કેટલીક જમીને લઈ સરકારી મકાને બાંધ્યાં. અગ્રિમ રાજ્ય જૂનાગઢ
ઈ. સ. ૧૮દરમાં પોલિટિકલ એજન્ટ કર્નલ કટીંગ્સ સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યનું વર્ગીકરણ કરી તેની અગ્રતા નકકી કરી આપી તે પ્રમાણે જૂનાગઢ રાજયને પ્રથમ વર્ગમાં પ્રથમ ગણવામાં આવ્યું. રાજકર્તાને ૧૧ તેપનું માન આપવામાં આવ્યું અને તેને અન્ય રાજ્યો કરતાં સવિશેષ અધિકારો પણ આપવામાં આવ્યા.
નવાબને પોલિટિકલ એજન્ટ લખાણ કરે તે પત્રનું મથાળું શું બાંધવું તે પણ મુકરર કરવામાં આવ્યું તે પ્રમાણે જયારે પત્ર લખ હોય ત્યારે પિલીટિકલ એજન્ટ નવાબને આ પ્રમાણે લખતાઃ “નવાબ સાહેબ,
1 મયાશંકર દેશાઈ પ્રભાસપાટણના પ્રખ્યાત દેશાઈ કુટુંબના હતા. વિગતો માટે જુઓ
પિતૃતર્પણ-શં. હ. દેશાઈ.