________________
, ૨૦૬ : જૂનાગઢ અને ગિરનાર
વિરછ ઉપરકેટમાં કેદ કરવામાં આવેલ, ત્યાંથી તેણે પડતું મૂકી જીવનને અંત આણ્યો કેશવજી, મિયાં હામે તથા તુરખાન રાજકોટની જેલમાં હતા. તેઓએ મિ. કેનન નામના અગ્રેજ બેરિસ્ટરને રોકી પિતાને બચાવ કર્યો. મુંબઈનાં વર્તમાનપત્રોમાં કેશવજી વગેરેને અન્યાય થયો છે તેવા લેખો પણ છપાવ્યા, પરિણામે મુંબઈ સરકારે કર્નલ બારને પાછા બોલાવી લીધા અને કર્નલ એન્ડરસનને કામચલાઉ પેલિટિકલ એજન્ટ તરીકે નીમ્યા. - નવાબ મહાબતખાને આ ઉપરથી મુંબઈ સરમમાં મોટે વધે ઉઠાવી લખી મોકલ્યું કે કર્નલ બારે મને રક્ષણ આપી નાલાયક માણસોને અટકમાં લીધા તે માટે તેને બરતરફી મળે છે તે અન્યાય છે અને મારું અપમાન છે. તે ઉપરથી સરકારે આ પ્રશ્ન પુનઃવિચારણામાં લઈ કર્નલ બાલને પાછા નેકરી ઉપર લીધા.
કેશવજી વગેરેને કેસ ચલાવવા એક પંચ નીમવામાં આવ્યું અને આરેપિ સાબિત થતાં કેશવજીને દશ વર્ષની તથા મિયાં હાદને તથા નુરખાન મૌલવીને નવ વર્ષની કેદની સજા થઈ. કેશવજીની પ્રકૃતિ કેદમાં ખરાબ થઈ જતાં તેને એક વર્ષ કપાત કરી નવ વર્ષની સજા પૂરી થયે મુનિ મળી પણ ઈ. સ. ૧૮૭રમાં તેનું મૃત્યુ થયું.'
કેશવજી અને વીરજી અભણ જેવા અને નાની સ્થિતિના માણસે હતા છતાં તેઓએ રાજરમતમાં ગણનાપાત્ર ભાગ ભજવી ઘણાં ઊંચાં પદ પ્રાપ્ત કર્યા. તેઓને તક મળી છે તે તેઓ જરૂર નામના મેળવી શક્યા હોત. તેઓ રાજમાતાના કાવાદાવાના કારણે કપ્રિય થઈ શક્યા નહિ અને કાયદેસર સ્થાપિત થયેલા રાજાને વફાદાર રહી શકયા નહિ.' દત્તકની સનદ - ઈ. સ. ૧૮દરમાં બ્રિટિશ સાર્વભૌમ સત્તાએ જૂનાગઢના રાજકર્તા અપુત્ર હોય તે મુસ્લિમ સરાહના નિયમોને આધીન રહી તેને દત્તક લેવાની સનંદ
1 હોળી રાણામાં કેશવજી-વીરની નિંદાના ચંદ્રાવળા હમણાં સુધી ગવાતા. તેની ઘણી
કડીઓ મારી પાસે છે પણ તેને ઉતારે કરવાનું અયોગ્ય અને અનુચિત જણાય છે. -ખક 2 કેશવજી તથા વીરજીના વંશજોને ઈતિહાસ અને અતિ પ્રયત્ન કરવા છતાં મ નથી, - કોઈ વાંચકને માહિતી હોય તે પૂરી પાડવા કૃપા કરે. – લેખક 3 જુએ સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ, ભા.૩, શું. હ શાઈ.