________________
૨૦૪ઃ જૂનાગઢ અને ગિરનાર
ડુંગરશી શેઠે પણ નાજુબીબીની વિરુધ્ધ એજન્સીમાં એક નિવેદન મોકલી તેની દખલગીરીના દાખલાઓ તેમાં ટાંકયા અને જનાનાની ખટપટની સંપૂર્ણ માહિતી આપી. તેણે એવી પણ ફરિયાદ કરી કે દીવાનની મહોર પણ તેણે રાખી છે અને જ્યાં દીવાનની મહેર કરવી પડે ત્યાં તે કરે છે. ડુંગરસીના આ નિવેદન ઉપર વિચારણા થાય તે પહેલાં ઈ. સ. ૧૮૬૧માં તેને દીવાનપદેથી મુક્ત કરી પાછા બોલાવી લેવામાં આવ્યા. | ડુંગરશીએ મોરબીના હીરાચંદ દફતરીના ભત્રીજા ડોસા પારેખને સુત્રાપાડા
જદાર તરિકે નીમેલા.' તેણે વાઘેર બહારવટિયાઓને આશ્રય આપ્યો હતો તેવો આક્ષેપ મૂકી તેને રાજકોટ બેલાવી લેવામાં આવ્યા ત્યાં તેનું કોઈએ ખૂન કર્યું. આ ખૂન કરાવવામાં ડુંગરશીને હાથ હતા તેમજ વાઘેર બહારવટિયાઓને તે પણ મદદ કરતા એમ ખૂનની તપાસમાં ખૂલતાં તેના માટે બંગલો બંધ થય” અર્થાત્ તેને એજન્સીએ કઈ પણ પ્રકારના પદ માટે કે પત્રવ્યવહાર માટે અયોગ્ય ગણ્યા. ગેકુલજી ઝાલા-દીવાનપદે
ડુંગરશી દેવશીની વિદાય પછી વિ. સં. ૧૯૧૭ (ઈ. સ. ૧૮૬૧)ના વૈશાખ સુદી ૮ના રોજ નવાબે દરબાર ભરી, ગોકુલજી સંપત્તિરામ ઝાલાની મુખ્ય દીવાનપદે નિમણૂક કરી.
દીવાનપદે આવીને ગોકુલજીએ અનેક સુધારાઓ કરવાની યેજના ઘડી અને રાજ્યને વહીવટ આધુનિક પદ્ધતિએ ચલાવવા વિવિધ વિચારણા કરી પરંતુ જૂના જમાનાની અસરમાં ઊછરેલા મુત્સદ્દીઓ, રાજય તે રાજકર્તાની ખાનગી માલિકીની મિલ્કત છે તેમ માનનારા અમીરે જનાનાની સ્ત્રીઓ અને નવાબના હજુરીઓની ભયંકર ખટપટ અને કાવાદાવાના કારણે તે કોઈ પ્રગતિ કરી શક્યા નહિ. નવાબની મુક્તિ .
નવાબ જનેતા પ્રત્યેના પ્રેમ અને નિર્બળતાને કારણે નાજુબીબીના કેદી જેવા થઈ ગયા. તેન શેખ બહાઉદ્દીનભાઈએ શિર ઉંચકવા સલાહ આપી અને તેનાથી ઉત્તેજિત થઈ તેણે એજન્સીમાં તેની અસહાયતાનું વર્ણન લખી મે કહ્યું.
1 ફજદારનો હોદ્દો તે સમયે આજના ડેપ્યુટી કલેકટર જેવો હતો. ડેસ પારેખલીમડીમાં
કારભારી હતા ત્યાંથી નાગઢ આવેલા.