________________
બાબી વંશ-ઉત્તરાઈ ૨૦૩ કેશવજી વીરજી
આ સમયમાં રાજમાતા પાસે રહેતા કેશવજી અને વીરજી નામના બે લહાણું ભાઈઓની લાગવગ વધી ગઈ. કહેવાય છે કે આ ભાઈઓ ડાળી ઉપાડવાનું કામ કરતા. કેશવજીએ કેઈ વેપારીને ત્યાં તે પછી કરી લીધી અને વીરજીને રાજદરબારમાં મેના પાલખી ઉપાડવાનું કામ મળ્યું. મહાબતખાનને લઈ નાજબીબી રાધનપુર ગયાં ત્યારે વીરજીએ સાથે રહી નાજુબીબીની કૃપા સંપાદન કરેલી હામદખાનજી ગુજરી ગયા ત્યારે રાધનપુર જઈ વધામણી આપવાની પણ તક તેણે ઝડપી લીધેલી જ્યારે નાજુબીબી અને ચાઈનીબુએ રાજતંત્રમાં હસ્તક્ષેપ શરૂ કર્યો ત્યારે તેમને રાજતંત્ર અને પ્રજાજનોની બાતમી આપતા અને તેમની આજ્ઞાને અમલ આ બે ભાઈઓ કરતા. તેમણે કરેલી વફાદારીભરેલી બેકરીની કદર કરી વાજબીબીએ કેશજીની સરકારી પાયગાના ઉપરીપદે નિમણૂક કરી અને નવાબનાં તેષાખાના, સીલેખાના વગેરે પણ તેને તથા વીરજીને સોંપાયાં. નાજુબીબીની આ ભાઈબ ઉપર અસીમ કૃપા ઊતરી અને જયારે અનંતજીને કારભાર મોકૂફ કરવા તેણે એજન્સીમાં લખ્યું ત્યારે તેની જગ્યાએ કેશવજીને નીમવા આગ્રહ કરેલ. આમ કેશવજી તથા વીરજીએ અને બળવંતરાય મુનશીએ નાજબીબીની કૃપા મેળવી રાજ્યતંત્રમાં એવું સ્થાન પ્રાપ્ત કર્યું કે નવાબ અને દીવાનથી પણ સવિશેષ અધિકાર તેઓ ભોગવવા લાગ્યા અને અમલદારે અને પ્રજાજને તેમને જ માન આપતા રહ્યા ડુંગરશીની દીવાનગીરી
ડુંગરશીની નિર્બળતા અને કમઆવડતના કારણે નાજુબીબી અને તેના કૃપાપાત્રોનું ચલણ વધી ગયું પણ એજન્સી સાથેના પત્રવ્યવહારમાં ડુંગરશીની સહીની જરૂર પડતી તેથી તેને દૂર કરવા માટે નાજુબીબીએ એજન્સીમાં કેટલાંક કારણે. અપી નવાબને નામે લખ્યું, તે ઉપરથી કેપ્ટન શર્ટ તપાસ માટે આવ્યો અને તેણે નવાબને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મેજર લેંગે કેટલાક અનિછનીય માણસોને દૂર કરવા આજ્ઞા કરેલી તેનું તમે પાલન કર્યું નથી. તમે એ માણસોને રજા આપે તે જ ડુંગરશીને પાછા બોલાવી શકાય. નવાબે અને નાજબીબીએ નછૂટકે કેટલાક માણસેને દૂર કર્યા.
1 આ ઉપસ્થી હજી કહેવત ચાલે છે કે,
કુલકુલ્લાં કેશવજી કહીયે બંગલે બળવંતરાય.