SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ : જૂનાગઢ અને ગિરનાર અને ઈ. સ૧૮૫૧ અને ઈ. સ. ૧૮૫૪માં સ્વજ્ઞાતિમાં થાળી, ત્રાંસ અને ગાગરનાં લહાણ કર્યા. - નવાબે તેમને ઝાપદડ ગામ ઈનામમાં આપેલું પરંતુ તેની હયાતી પછી તે પાછું લઈ લીધું. અનંતછ ઈ. સ. ૧૮૬૯માં ગુજરી ગયા. તે પછી તેનાં વિધવા હરકુંવરે ઈ. સ. ૧૮૭૧માં એક વીલ કરી તેના પતિની ઈચ્છા અને આજ્ઞાનુસાર તેમના રહેણાંક મકાનમાં ઈષ્ટદેવ નરસિંહજીનું મંદિર કરવા, સદાવ્રત આપવા, ગરીબ માણસો માટે દવાખાનું કરવા, રાજકોટમાં નાગર બેકિંગ બાંધવા વગેરે ધર્માર્થ કાર્યો કરવા એક કમિટી નીમી. આ કાર્યો થતાં રહે તે માટે માળિયા તાલુકાનું વાંદરવડ ગામ ઉજજડ પડેલું તે નવાબ પાસેથી દેઢ લાખ કેરીમાં વેચાતું લઈ તે આબાદ કર્યું અને ટ્રસ્ટને આપી દીધું. કમભાગે હરકુંવર ઈ. સ. ૧૮૭૩માં ગુજરી ગયા અને વિલની શસ્ત પૂરી કરવા તત્કાલીન દીવાન હરિદાસ વિહારીદાસ દેશાઈએ એક કમિટી નીમી. જૂનાગઢ રાયે નવાબ રસુલખાનના સમયમાં વાદરવડ ઉપર જતી મૂકી પણ તેના મૃત્યુ પછી સ્થપાયેલા એડમિનિસ્ટ્રેશનમાં જપ્તી ઊડી ગઈ. સૌરાષ્ટ્ર રાજ્ય જમીન સુધારણું ધારે ઈ. સ. ૧૯૫૦માં લાગુ પાડશે ત્યારે આ ગામ ખાલસા થયું પણ તેની ઊપજ કાયમ માટે ટ્રસ્ટને મળતી રહે એમ ઠરાવ્યું. આજે પણ જૂનાગઢમાં અનંત ધર્માલય ટ્રસ્ટ અનેક ઉપયોગી સંસ્થાઓ ચલાવે છે.' ડુંગરશી દેશી જૂનાગઢ રાજ્યમાં માજી નવાના સમયમાં અગત્યનો ભાગ ભજવી જનાર સુંદરજી શિવજીના પૌત્ર ડુંગરી દેવશી દીવાનપદે નિમાયા પણ તે રાજખટપટથી અપરિચિત હતા અને તેનું શરીરસ્વાશ્ય બરાબર ન હતું તેથી વહીવટમાં બહુ ધ્યાન આપી શકતા નહિ. અને તે કારણે, બળવંતરાય જાદવરાય મુનશી, લમીચંદ ગાંધી વગેરે રાજપુરુષોની સલાહ ઉપર કારભાર કરતા. 1 દીવાન અનંતજીનું જીવનચરિત્ર-લેખક શ્રી ભવાનીશંકર નરસિંહરામ તથા સંક્ષિપ્ત જીવનચરિત્ર-લેખક શ્રી સુરતરાય વસાવડાના આધારે. દીવાન અનંતજીનાં ધર્મા કરેલાં કાર્યોની નેંધ માટી છે તેથી વિસ્તારભયે વિગતો આપી નથી.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy