SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-ઉત્તરાર્ધ ર૦૧ અનંતજીની મદદ માગતાં તેણે તેની પિલિટિકલ એજન્ટ કર્નલ માલેટ સાથે મુલાકાત કરાવી આપી અને જયારે જમ્બર શેઠને આધીન કરવા તેની હવેલીને ઘેરો ઘાલવાનો નિર્ણય લેવામાં આવ્યો તે પૂર્વે અનંતજી પોતાની સાથે અમદાવાદના નગરશેઠ હેમાભાઈ, ભાવનગરના દીવાન પરમાણંદદાસ મહેતા અને રાજકેટના વકીલ ખેતશી વોરાને લઈ જબર શેઠને સમજાવવા ગયેલા. આ પ્રસંગે તે નવાબના ગાઢ સંપર્કમાં આવ્યા અને તેની શકિત જોઈ ઈ. સ. ૧૮૪૫માં તેની દીવાનપદે નિયુક્તિ કરી. તેઓ દીર્ધદષ્ટા અને વ્યવહારકુશળ મુદ્દી હતા; એટલું જ નહિ પણ કલમના કસબ સાથે કટારને ઉપયોગ પણ કરી જાણતા. વાઘેર બહારવટે ચડ્યા અને આભપરામાં મોરો બાંધી બેઠા અને જ્યારે તેના ઉપર હલ કરવામાં આવ્યો ત્યારે જૂનાગઢ તરફથી સૈનિકે લઈને ગયેલા અનંતજીએ. અંજ અધિકારીઓની હાજરીમાં વે ઘેરે ઉપર પ્રબળ ધસારો કર્યો. તેમની વીરતા જોઈ અંગ્રેજ ફળ અધિકારીઓએ તેની પ્રશંસા કરી. આ પ્રસંગે રાવળ રામ વિસા નામના કવિ હાજર હતા. તેણે તરત જ ગાયું કે, આભપરાસે ઊડ ગયે વાયસ સમ વાઘેર, નરસિહ નામ ઉચ્ચારકે જબ અનંત ગ્રહ્યો સમશેર. દીવાન અનંતજીએ રાજ્યના તંત્રમાં મધ્યકાલીન વહીવટી પદ્ધતિ હતી તેના બદલે એજન્સીના તંત્ર જેવું તંત્ર રાજ્યમાં દાખલ કર્યું. જુદાં જુદાં ખાતાંઓ ઊભાં કર્યા. અને સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું. જે જનાજની ખટપટને કારણે તેને ઈ. સ. ૧૮૬૦માં નિવૃત્ત થવું પડયું ન હતું તે તે કાલમાં જ જુનાગઢના તંત્રને સહુથી પ્રથમ આધુનિક બનાવી શકયા હેત તેમ છતાં આધુનિક તંત્ર પદ્ધતિના પ્રારંભને યશ તેને ફાળે જાય છે. તેમને કાંઈ સંતતિ હતી નહિ તેથી નાગર જ્ઞાતિના પ્રચલિત રિવાજથી વિરુદ્ધ જઈ બીજી પત્ની કરવાની તેમને જ્ઞાતિએ પરવાનગી આપી તે છતાં તેણે તેવું પગલું ન ભરતાં તેના અઢળક ધનનો વ્યય ધાર્મિક અને સાર્વજનિક કાર્યોમાં કર્યો. દીવાન અનંતજી એ પાંચ ધર્મશાળાઓ, ચાર શિવાલયો, બ્રહ્મપુરીઓ વગેરે બંધાવ્યાં. તે ઉપરાંત જૂનાગઢ, રાજકેટ અને કેટલાંક તીર્થક્ષેત્રમાં સદાવ્રત બાંધ્યાં વડનગરનાં હાટકેશ્વર તથા કાશી વિશ્વનાથનાં મંદિરનાં બારણાં રૂપાનાં બનાવ્યાં. મથુરામાં એક વાડી વેચાતી લઈ રઘુનાથજીના મંદિરને અર્પણ કરી. તેણે જનાગઢના માંગનાથ તથા ખાખચકના મંદિરોને જીર્ણોદ્ધાર કર્યો જ. ગિ-ર૬
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy