________________
૨૦૦ : જૂનાગઢ અને ગિરનાર
અને તે પૂર્વે જેવું અધેર હતુ. તેવું અંધેર થઇ ગયું. નવાબ તેની માને કાંઈ કહી શકે એમ ન હતા. અને જોકાંઈ કહે તા શીખઢી તેને આધીન હતી તેથી તેને કેદ કરે કે મૂ'ઝવે તેવા સજોગા હતા, તેથી તેણે એજન્સીમાં ખાસ દૂત મોકલી તેની સાથે તેની મુશ્કેલીનું વર્ણન લખી મે!કળ્યુ તે ઉપરથી રાજકાટથી કૅપ્ટન શાટ નામને અંગ્રેજ અધિકારી જૂનાગઢ આવ્યા અને તેણે શીદીને માત્ર નવાબના હુકમ માનવા સલાહ આપી પણ તે સલાહ અમાન્ય રહી. કેપ્ટન શાર્ટ'ની દખલગીરીથી નાજુબીબી રાષે ભરાયાં અને તેણે શીખ દીના જમાદારાને બાલાવી ઉશ્કેર્યાં. સૈનિક અને આરખેા બળવા કરશે એવી ભીતિ કેપ્ટન શાર્ટ ને લાગતાં તેણે પેલટિકલ એજન્ટનું મેજર બ્લેક દ્વારા માદ ન માગ્યું. દરમ્યાન નાનુખીખી, નવ બને સમજાવી તેને ગેાંડલમાં છાવણી નાખી પડેલા પોલિટિકલ એજન્ટ પાસે પોતે સત્તાધીશ રહે તેવી કબૂલાત અપાવવા લઈ ગયાં પણ મુકામ ઊપડી જતા પોલિટિકલ એજન્ટ મળ્યા નહિ.
નવા માટે એક સામાન્ય ગૃહસ્થ જેવું જીવન પણ જીવવાનું હવે અશકય બન્યુ. જનાનાનું જોર વધી ગયુ. તેથી તે રાજકેટ ગયા. અને પેલિટિકલ એજન્ટને સન્ય વસ્તુસ્થિતિ સમજાવી તેણે સરકારમાં લખતાં ઈ. સ. ૧૮૬૦માં એલેકઝાન્ડર કિન્લૉક ફૉર્બ્સને જૂનાગઢ જવા મુંબઈ સરકારે આજ્ઞા કરતાં તે મુંબઈથી ધંધા આવતી સ્ટીમરમાં આવી ત્યાંથી જૂનાગઢ આવ્યા. તેમણે દીવાન અનંતજી તથા મિયાં અહેમદ દુપનાં રાજીનામાં લઈ દીવાનપદે ડુંગરશી દેવશીની નિમણૂક કરી. અન તજી દીવાન
આ પ્રસંગે ફ્રાન્સે ગેાપનાથ મુકામેથી તા. ૧૫મી મે, ૧૯૬૦ના રાજ સરકારમાં એક પત્ર ૯ખ્યો. તેમાં અન તજી દીવાનની શક્તિ તથા વફાદારીનાં ભારાભાર વખાણ કરી તેને રક્ષણ આપવા એજન્સીને ભલામણ કરી.
દીવાન અન તજી અમરચંદ વસાવડાના જન્મ ઇ. સ. ૧૮૦૯માં થયા હતા. માતૃપક્ષે દીવાન રણછેડજી તેના સગા થતા હતા. તેના પિતામહ કુંવરજી તથા તેના ભાઈએ ભાણજી અને બજીભાઈ ગાયકવ ડના રાજ્યમાં મેટા હેાદ્દા ધરાવતા. અન તછના માટાભાઈ અમૃતલાલે જૂનાગઢમાં શરફીની માટી પેઢી સ્થાપી હતી અને દેશી રાજ્યાને મોટી રકમો ધીરતા હતા અને એજન્સીના લહેણા બદલ રાજયાના જામીન પણ પડતા હતા. દીવાન રણછોડજી આ પેઢીમાં ભાગીદાર હતા. ઈ. સ. ૧૮૭૫માં અમૃતલાલ જૂનાગઢના દીવાનપદે નિમાયા ત્યારે અનંતજી ધ્રાંગધ્રામાં નિમાયા. અમૃતલાલ ઈ. સ. ૧૮૩૬માં છૂટ થયા અને જબ્બર શેડના કારભારમાં નવાબ હામેફખાનની સ્વતંત્રતા રૂધાણી ત્યારે તેણે