________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૧૯૯
વરપદ આપ્યું તથા દીવાન રઈ ડજીની પુત્રી સૂરજકુંવરના પુત્ર મણિશંકર નરભેશંકર વદને તથા પાછળથી ભગવાનલાલ મદનજીને પિતાના ખાનગી કારભારી તરીકે નીમ્યા. સગીર નવાબ
એજન્સી અધિકારીઓની સૂચનાથી સગીર નવાબને શિક્ષણ આપવા રાજમાતાએ અંગ્રેજી શીખવવા સૂરતના પ્રાણલાલ મથુરાદાસ નામના શિક્ષકને તથા મુસાહેબ તરીકે પ્રભાસપાટણના ફરીદખાન મુરખાન તથા જુનાગઢના પ્રભુદાસ કહાનદાસ બક્ષી અને નામદારખાને શેર ખાનની નિમણૂક કરી. ઈ. સ. ૧૮૫૫ માં અંગ્રેજી શિક્ષક પ્રાણલાલ મથુરાદાસ મૂળ જગ્યાએ પાછા ફરતાં તેની અવજી સુરતના નાગર સોમનારાયણ નરનારાયણની નિમણૂક થઈ. ' .
નવાબની સાથે અમીરોના તથા નાગરોના તેજસ્વી વિદ્યાથીઓને ભણવા બેસાડવામાં આવતા પરંતુ નવાબે અંગ્રેજી ત્રીજા રણ સુધી અને મુનશી જાનમહમદ પાસે ફારસીને થડો અભ્યાસ કરી રાજકાજમાં લક્ષ્ય પરોવ્યું. રજન્સી બરખાસ્ત
ઈ. સ. ૧૮૫૮માં નવાબ ૨૧ વર્ષના થતાં રીજન્સી કાઉન્સિલ બરખાસ્ત કરવામાં આવી અને અનંતજી અમચંદને મુખ્ય દીવાનપદે નીમવામાં આવ્યો. જનાનાની ખટપટ
નવાબની સગીર અવસ્થા દરમ્યાન રીજન્સી કાઉન્સિલ હોવા છતાં સાચી સત્તા રાજમાતા નાજુબીબી તથા તેની કૃપાપાત્ર હજૂરી ચાઈતીબુના હાથમાં રહી અને નવાબે સત્તાનાં સૂત્ર સંભાળ્યા પછી પણ અનંતજી જેવા સમર્થ દીવાન હોવા છતાં આ બંને બાઈઓ રાજતંત્રમાં અપાર દખલ કરતા રહ્યા. રાજમાતાથી નવાબનું કઈ વિશેષ હિત વિચારે નહિ એમ માની એની ફરિયાદ ઉપરથી દીવાન અનંતજીને તથા કાઉન્સિલ સભ્ય મિયાં અહેમદ એક્સને દૂર કરવાનાં ચક્ર એજન્સીમાં ગતિમાન કરવામાં આવ્યાં પરંતુ એજન્સી અમલદરેએ તેમ ન કરતાં નવાબના અમદાવાદવાળા પીરઝાદા નાના મિયાંને સભ્યપદે નીમ્યા. .
ઈ. સ. ૧૮૫માં નાજુબીબીની હકૂમત એવી તે બળવત્તર થઈ ગઈ કે નવાબ મહાબતખાન પૂતળા જેવા રાજકર્તા થઈ ગયા. જનાનામાંથી થતા હુકમોને અમલ થતા અને નવાબ કે દીવાનના હુકમોની અવગણના થતી. દીવાન અનંતજીએ સ્થાપેલી આધુનિક પ્રકારની રાજયવ્યવસ્થા ભાંગી પડી.