________________
બાબી વંશ – ઉત્તરાર્ધ
નવાબ મહાબતખાન ૨ જા "
નવાબ હામદખાનના મૃત્યુના સમાચાર રાધનપુર પહોંચતાં જ ત્યાં વસતા મહંમ નવાબ બહાદરખાનનાં વિધવા બેગમ નાજુબીબી તેના સગીર કુંવર મહાબતખાનજીને લઈ જૂનાગઢ આવ્યાં અને હામદખાન અપુત્ર ગુજરી ગયા હોવાથી મહાબતખાનને જૂનાગઢની ગાદીએ બેસાડયા. રજન્સી
મહાબતખાનને જન્મ વિ. સં. ૧૮૯૩ (ઈ. સ. ૧૮૩૭) ના વૈશાખ વદી ૧૨ અને રવિવારના રોજ થયો હતો તેથી ઈ. સ. ૧૮૫૧ માં ગાદીનશીન પ્રસંગે માત્ર ૧૪ વર્ષના હતા તેથી રાજયને વહીવટ એજન્સીએ સંભાળી લેવા વિચાર્યું પણ રાજમાતા નાજુબીબી તથા રાધનપુરના નવાબના પ્રયાસથી પિલિટિકલ એજન્ટ કર્નલ લેંગે એક ચિજન્સી કાઉન્સિલની નિમણૂક કરી તથા તેમાં સભ્ય તરીકે બાટવા ભાગદાર મહમદખાન તથા કુતિયાણાના હબીબખાનને તથા પ્રમુખપદે અનંતજી અમરચંદની નિમણૂક કરી. થડા સમયમાં બને સભ્ય ગુજરી જતાં તેને અવજી પ્રભાસપાટણના સૈયદ અહમદ બીન અબ્દુલ્લાહ એસ તથા બાટવા ભાગદાર શેરબુલંદખાનની નિમણૂક કરવામાં આવી. રાજમાતા નાજુબીબી
રજન્સી કાઉન્સિલમાં રાજમાતાને સ્થાન મળ્યું નહિ છતાં તેણે સર્વ અધિકાર સ્વાધીન કર્યો તથા પિતાની હજૂરી બાઈ ચાઈતબુના પુત્ર લાલભાઈને