________________
બાબી વંશ-પૂર્વાર્ધ ઃ ૧૯૭ કરતા. સનીઓ, કંસારા, લુહાર, સુતાર, સલાટ, કડિયા, ભઈ વગેરે પિતપિતાને વ્યવસાય કરતા. કેળાઓ ખેતીના, પગીના કે લાકડા કાપવાના કામમાં પ્રવૃત્ત હતા. હરિજને ચમાર કે વણકરને ધંધો કરતા. રબારીઓ, ચારણે, ભરવાડો પશુપાલન કરતા અને કયાંક લશ્કરી નોકરી પણ કરતા. નાગરે રાજયસેવામાં હતા અને બ્રાહ્મણો કર્મકાંડ કે રાજયસેવા કરતા. વાણિયા અને લુહાણ ૫ણ રાજયસેવામાં હતા. એ ઉપરાંતના, મકરાણ, સંધી, આબે, રાજપૂત, કાઠી, ખાંટ, મેર, રબારી વગેરે કેમના જુવાને માટે લશ્કરી કરી સિવાય કઈ વ્યવસાય ન હતા. અરબસ્તાનથી રે મેળવવા સમુદ્રમાર્ગે સૌરાષ્ટ્રમાં આવેલા આરબ દેશી મુસ્લિમોની જેમ આ દેશના વતની થઈ ગયા હતા. અરબસ્તાન સાથે તેમના સંબંધે તૂટી ગયા હતા. મકરાણીઓ પણ મકરાણ સાથેના સંબંધે જાળવી શક્યા ન હતા અને તેથી તેઓ પણ આરબોની જેમ સોરઠમાં મકાન મિલક્ત કે જમીનજાગીર મેળવી સ્થાનિક વતનીઓ થઈ ગયા હતા. આ સમયમાં નાગરો પણ લશ્કરી સેવામાં હતા. સિપહાલારો નાગર હતા એટલું જ નહિ પણ નાગર સિપાઈઓની એક જ પણ હેવાના ઉલેખ પ્રાપ્ત થાય છે. ખાંટ લેકેનું પણ સૈન્યમાં મહત્વનું સ્થાન હતું. કલ્યાણ શેઠ જેવા વણિક અને પ્રેમજી દામાણી જેવા લુહાણાઓ પણ સમશેર બાંધી સૈન્યનું નેતૃત્વ લેતા અને યુદ્ધો લહેતા; તેમ છતાં આ યુધવીએ આધુનિક યુદ્ધપદ્ધતિનું ન તે જ્ઞાન મેળવ્યું ન તે તે જાણવા પરવા કરી.
વારંવાર આવતા દુકાળો અને તેમાં સહાય કરવામાં રાજ્યની અશક્તિ કે અનિછાના કારણે, અને નિરંતર થતાં યુદ્ધો અને ગાયકવાડ, પિશ્તા કે અન્ય રાજની આવતી ચડાઈઓમાં થતી બેફામ લૂંટના કારણે તેમજ રાજદરબારીઓને પગાર પેટે અપાતી જાગીરમાંથી લેવાય એટલી ઊપજ લેવાના લેભના કારણે ખેતી પાયમાલ થઈ ગઈ હતી, અને ખેડૂતપ્રજા બેહાલ થઈ ગઈ હતી. વ્યાપાર આગલા યુગમાં ભાંગેલ હતો અને વિશેષ ભાગે.
આમ આ સમયમાં પ્રજા બેહાલી, પાયમાલી અને અવ્યવસ્થામાં જીવી અને રાજકર્તાઓએ કે તેના દીવાને એ તે પ્રતિ કાંઈ ધ્યાન આપ્યું નહિ. પરિણામે જ્યારે અંગ્રેજોએ નવાબની સત્તાઓ ઉપર અંકુશ મૂક્યો ત્યારે તેને વિરોધ કરવાની તેની નૈતિક હિમ્મત ન હતી તેમ તે માટે તેને પ્રજાનું પીઠબળ ન હતું.