SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ઃ જૂનાગઢ અને ગિરનાર સત્તા પ્રાપ્તિ માટેની સ્પર્ધાના કારણે પાટનગરમાં અશાંતિ રહેતી અને પ્રજાના જીવનમાં બહુ અજંપિ હતા. જૂના વિચારો ધરાવતા રાજાઓ અને સેનાપતિઓ શત્રુ રાજ્યની પ્રજા અને તેની માલમિલકત નાશ કરવામાં કે તેમને ત્રાસ આપવામાં ગૌરવ સમજતા નવાબના સૈન્ય રણછોડજી જેવા સુજ્ઞ અને વિદ્વાન સેનાપતિની આજ્ઞાથી રાયજાદા અને રાણાને પ્રદેશ ઉજજડ કર્યો હતો અને રણછોડજીએ જ્યારે નવાબ સામે બળવો કર્યો ત્યારે પણ ગામડાંઓ લૂંટયાં હતાં. એ સમયની એ રાજનીતિ હતી અને તેમ કરવાનું તે વખતે આવશ્યક ગણાતું. રાજદરબારમાં અગ્ર સ્થાન પ્રાપ્ત કરવા વિરોધ પક્ષના નેતાઓનું લોહી રેડવામાં કઈ અચકાતા નહિ. એટલું તે નહિ પણ જે પક્ષના નેતાને શિક્ષા કરવી હોય તે પક્ષના અને તેની જ્ઞાતિના નિર્દોષ લોકેને પણ મારી નાખવામાં આવતા કે લૂંટી લેવામાં આવતા. નાગર અધિકારીના કહેવાતા અપરાધ માટે નાગરવાડે લૂંટી લેવામાં આવે અને તેમ છતાં નાગરે રાજકર્તાને વફાદાર રહ્યા હતા. એનું એક જ કારણ એ હેવાનું સમજાય છે કે રાજા પ્રજાના જાનમાલને સ્વામી છે અને તેમ કરવાને તેને અધિકાર છે તે સિદ્ધાંત પ્રસ્થાપિત થયેલ અને તે જ કારણે અનેક ત્રાસદાયક કૃત્ય કર્યા છતાં નવાબો તેનું સ્થાન જાળવી શકેલા અને જેના ઉપર તેમણે જુલ્મ કરેલા તેનાં પરાક્રમ અને પ્રયાસથી તેમની સત્તા બળવત્તર કરી શક્યા અને વિસ્તાર વધારી શકયા. આ સમયમાં હિંદુ-મુસ્લિમના ભેદ સાવ ભૂંસાઈ ગયા હતા. હિંદુ સરદાર નીચે મુસ્લિમો હિંદુઓ સામે લડતા અને મુસ્લિમ સરદાર નીચે હિંદુ સૈનિકે મુસ્લિમો સામે લડતા. જૂનાગઢના નવાબ મુસ્લિમ હતા છતાં અમરજી, રઘુનાથજી, રણછોડજી, પ્રભાશંકર વગેરે સેનાપતિઓ નીચે આરબ, સંધી અને મકરાણી સિપાઈએ માંગરે.ળના શેખમિયાં કે સુત્રાપાડાના ચાંદ પટણ જેવા મુસ્લિમ સરદાર સામે લડતા. ગાયકવાડનું હિંદુ રાજ્ય હતું છતાં જમાદાર હામીદ જેવા મુસ્લિમ સેનાપતિઓ નીચે મરાઠાઓ હિંદુ રાજ્યો સામે લડતા. દીવાનગીરી અને મુલ્કી હેદીઓ ઉપર મુખ્યત્વે જૂનાગઢ જેવા મુસ્લિમ રાજ્યમાં હિંદુઓ જ હતા. પ્રજામાં પણ સહુ પોતપોતાના ધર્મ વગર રોકટોકે પાળી શકે એ માન્યતા પ્રબળ થઈ ગઈ હતી. શ્રી સહજાનંદજી મહારાજને નવાબે રાજમહેલમાં પધરાવેલા અને હવેલીના શ્રી ગોસ્વામીજી મહારાજ પાસે નવાબ જતા અને એ રીતે મુસ્લિમ સંત પાસે હિંદુઓ આશીર્વાદ મેળવવા જતા. પ્રજામાં ગ્રામીણ વ્યાપાર સિવાય કે ખેતી સિવાય કોઈ અન્ય વ્યવસાય ન હતું તેથી આહિર, કણબી, કારડિયા રાજપૂત, મેરે વગેરે ખેતીને વ્યવ સાય કરતા. વાણિયા, લુહાણ, મેમણ, વોરા અને ખજાઓ સ્થાનિક વ્યાપાર
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy