________________
ખાખી વંશ-પૂર્વાધ : ૧૯૩
કાવત્રુ
અન તજીને દીવાનગીરી મળી તે અમુક તત્ત્વાને ગમ્યું નહિ તેથી મુનશી ખળવંતરાય જાદવરાય, સૈયદ અબ્દુઅલી તથા ચિસ્તી આલમિયાંએ અન તજીના કારભાર ઉથલાવી નાખવા એક કાવત્રુ કર્યું". આ કાવત્રું પકડાઈ જતાં ખળવંતરાયને પકડીને ઉપરકોટમાં કૈદ કર્યા પણ પાછળથી ગમે તે કારણે છેડી મૂકવામાં આવ્યા.
કુંવરજન્મની અફવા
નવાખની એક બેગમે પુત્રને જન્મ આપ્યા છે એવી વાત જાહેર કરવ માં આવી. આ જાહેરાત બનાવટી છે તેવી નવાબને ખાત્રી થતાં તેણે જવાબદાર શખ્સાને સજા કરી. બહારવટિયા
જબ્બર શેઠની દીવાનગીરી મેા થતાં તેના કૃપાપાત્ર સિપાઈ રહેમાન તેના પુત્ર સુલતાનની સાથે ટાળી જમાવી બહારવટે ચડયા. તેણે ગિરનારમાં આશ્રય લઈ લૂંટફાટ શરૂ કરી. એકવાર તમે દીવાન અનંતજીના કુળગાળ રામશંકર પંચાળીના જમાઈ દુર્ગાશંકર ભજીભાઈ ત્રવાડી તથા મયાશંકર હરજીવન ત્રવાડીને બાન પકડયા. અનંતજીએ ખુશાલ બારોટ નામના વિશ્વાસુ માસ દ્વારા તેમના પત્તો મેળવી ગિસ્ત માકલી મહાટિયાએને ઘેર્યાં અને તેઓએ ધિંગાણું કર્યું.... તેમાં રહેમાન માર્યાં ગયા અને સુલતાન શરણુ થયો.
ઈ. સ. ૧૮૪૭માં ફિયા રબારી બહારવટે ચડયા. જામનગરના બહારવિટયા વીધા માણેક અને એખામંડળના બહારવિટયા હનુમાનિસંહ પુરિયા તેની સાથે ભળી ગયા. આ ટળીની પાછળ પડેલી. એજન્સીની ટુકડીએ કેપ્ટન લેાકની આગેવાની નીચે રાણાવાવ પાસે વિંગાણું કર્યું તેમાં ઘણા સિપાઈઓને મારી બહારવટિયા ગિરમાં ઊતરી ગયા. આ પાટણ વહીવટદાર શ્રી નરસિંહપ્રસાદ હરિપ્રસાદ જીચે તેના પીછે પર્રા તેમને કયાંય ઠરવા દીધા નહિ. અ ંતે આ ટોળી ક લ જીલાક અને દીવાન અન ંતજી રૂબરૂ અમરાપુર મુકામે શરણુ થઈ. આ બહારવિટયા ઉપરાંત આ નવાબના અમલમાં અનેક શખ્સા અંગત કારણાસર બહારવટે ચડયા. તેમાં મુખ્ય બહારવટું માંગરાળના શકર મકરાણીનુ
2
1 સ્વ. શ્રી જીતેન્દ્રપ્રસાદ ખૂચના પિતામહ,
2 મકરાણીઓ કહે છે કે આ શંકર સધી હતા; મકરાણી નહિ, જૂ. ગિ.-૨૫