________________
૧૯૨ ઃ જૂનાગઢ અને ગિરનાર કર્યો અને જૂનાગઢના આવા કોઈ હકકો નથી તેમ કહી તે લેગીઓ વસુલ લેવા દીધી નહિ. યુદ્ધોના દિવસે પૂરા થયા હતા તેથી રાજ એજન્સીમાં ફરિયાદ કરતાં રાજકેટથી કેપ્ટન લી ગ્રાન્ડ જેકબ માંગરોળ ઉપર ચડે અને ઈ. સ. ૧૮૪૧ના ડિસેમ્બરની ૨૨મી તારીખે માંગરોળ ઉપર જતી મૂકી. ઈ. સ. ૧૮૪રના એપ્રિલ માસની ૬ઠ્ઠી તારીખે શેખે લખણ કરી આપ્યું કે તે જૂનાગઢને આધીન છે અને રહેશે, તેથી જપ્તી ઉઠાડી લેવામાં આવી. રાજમાતા દાદાબુ
રાજમાતા દદીબુ તથા નથખાન સરવાણી નવાબને તુચ્છ ગણી પિતાનું ધાર્યું કરતાં અને નવાબને એવા પણ પુરાવા મળ્યા કે આ બન્ને જણાં તેનું કાસળ કાઢી નાખશે તેથી તેણે એજન્સીની સમ્મતિ લઈ નથખાનને કેદ કર્યો તથા રાજમાતાને નજરકેદ કર્યા. રાજમાતાનું કામકાજ કરતા બળવંતરાય જાદવરાય મુનશી તેમને મુક્ત કરાવવા માટે પ્રવૃત્તિ કરવા માંડયા તેથી તેને પણ કેદ કર્યા. બળવંતરાયને તરત જ મુક્ત કર્યા પણ નથુખાનને તે નવાબ મહાબતખાને છોડયા ત્યાં સુધી કેદમાં રહેવું પડયું. જબર શેઠ
દીવાન જબ્બર લીલાધર ભાટિયા રાજ્યના ખર્ચને હિસાબ પણ રાખતા પણ તેણે હિસાબ રજૂ ન કરતાં તેને હિસાબ લઈ હજરમાં હાજર થવા નવાબે આજ્ઞા કરી. જબર શેઠે તે અજ્ઞાની અવગણના કરી અને કહેવરાવ્યું કે તેને હુકમને તે માનવા ઈન્કાર કરે છે તેથી નવાબે તેની હવેલી ઉપર તપમારે કરી તેની દીવાલ તોડી પાડી. આ ધિંગાણામાં જમ્બર શેઠને આરબ તેપચી મરા અને પિતે શરણ થતાં તેને કારાવાસમાં મોકલી દેવાયા. ત્રણ વર્ષ પછી તેની પાસેથી સાડા આઠ લાખ કરીને દંડ લઈ મુક્ત કર્યા અને તે તરત જ જૂનાગઢ છોડી તેના વતન જામકંડોરણા ચાલ્યા ગયા. તેની હવેલી ખાલસા કરવામાં આવી જેમાં આજ ઉપરકોટ દવાખાનું છે. અનંતજી અમરચંદ - નવાબ હાકેદખાને હબીબખાન સરવાણી તથા અનંતજી અમરચંદને તે પછી સંયુક્ત દીવાન તરીકે નીમ્યા. થોડા જ સમયમાં તેણે હબીબખાનને છૂટા કરી અનંતજી એકલાને કુલ કારભાર સો.
1 વેસ્ટર્ન ઇન્ડિયા નામના તેના પુરતકમાં સર લી ગ્રાન્ડ જેકબે આ પ્રસંગની વિગત
આપી છે.