SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-પૂર્વાર્ધ ૧૮૫ ઉઠાવ્યું તેથી નવાબે ખડિયા ઉપર તપ માંડી તેને શરણ થવા ફરજ પાડી. આતે મેર આતા મેર નામને બહારવટિયે આ સમયમાં જૂનાગઢનાં ગામો ભાંગવા માંડયો. ઈ. સ. ૧૮૩૭માં તેણે જૂનાગઢ પાસેનું કાથરેટું ભાંગ્યું. તે કયાં મરાઈ ગયો તે જાણવા મળ્યું નથી, અમૃતલાલ અમરચંદ ઈ. સ. ૧૮૭૫માં સદાશિવરાવે રાજીનામું આપી દીધું અને દીવાનની ખાલી પડેલી જગ્યા ઉપર નવાબે જૂનાગઢના અમૃતલાલ અમરચંદ વસાવડાની નિમણૂક કરી, અમૃતલાલના તે સમયના પ્રતિષ્ઠિત નાગરિક હતા. એજન્સીમાં રાજાઓને જે રકમ ભરવાની થતી તેના તે જામીન થતા અને રાજાઓને મોટી મોટી રકમની ધીરધાર કરતા. તેઓ અંગ્રેજ અધિકારીઓના પરિચયમાં આવેલા અને તેથી મારી રાજકીય લાગવગ ધરાવતા. તેના નાના ભાઈ અનંતજી અમરચંદ ધ્રાંગધ્રાના દીવાન હતા અથવા દીવાનના સમકક્ષ હેદ્દા ઉપર હતા. નથુરામ અમરજી. અમૃતલાલે એક વર્ષ દીવાનગીરી સંભાળી અને તે પછી રાજ્યમાં વધી પડેલી ખટપટને કારણે રાજીનામું આપી દીધું. નવાબે તેની જગ્યાએ જૂનાગઢના નથુરામ અમરજીની ઈ. સ. ૧૮૭૬માં નિમણૂક કરી. જાફરાબાદ-સરહદી ઝઘડે ઉના તાલુકાની સરહદે સોખડા નામનું ગામ, બાબરિયાવાડ થાણદાર પ્રભાસપાટણના દેશાઈ મયાશંકર જેશંકરે આબાદ કરતાં, તે ગામ પોતાની હકૂમતના પ્રદેશમાં છે તેમ કહી જંજીરા રાજ્યના જાફરાબાદ ખાતેના અધિકારીઓએ વધે લઈ, તેને કજો લઈ લીધો. જૂનાગઢની શી બંદીએ જાફરાબાદના માણસોને હાંકી કાઢવા પ્રયત્ન કર્યો તેમાં ઝપાઝપી થઈ અને એક સીદી અમલદાર માર્યો ગયે. એ ઉપરથી જાફરાબાદે એજન્સીમાં કરેલા વિવાદમાં મરનાર સીદી અમલદારના માથા બદલ જૂનાગઢ વડલી ગામ આપ્યું અને સેખડા ઉપર દા જાફરાબાદે મૂકી દીધું અને તે બદલ જૂનાગઢ દર વરસે ૩૬૦ રાળ જાફરાબાદને વડલી મુકામે ચૂકવે એ નિર્ણય લેવાય. આ રકમ દર વર્ષે ઈ. સ. ૧૯૪૬-૪૭ સુધી ચૂકવાતી, રાળનું ચલણ બંધ થયું છતાં આ રકમ જ. ગિ–૨૪
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy