________________
બાબી વંશ-પૂર્વાર્ધ : ૧૭૯
સિવાય તેઓએ કઈ પણ શત કે આશ્વાસન માન્ય રાખવાને ઈન્કાર કર્યો ત્યારે નવાબે સામતખાન બાબી અને જમાલખાન બલોચને આશરે સે સૈનિકે લઈને તે એને મારી નાખવા મેકલ્યા. સામતખાન આવતાં સૌયદે ઊડી ગયા પણ ભાટો, કલાલે તથા અતિત બેસી રહ્યા. આ નિર્દોષ માનવીઓની છૂટે હાથે ફર કતલ કરવામાં આવી. એક તપસ્વી સાધુ ત્યાં મૃત્યુ પામ્યો નહિ. તેને ઘસડીને પછાડીને ઉપરકેટમાં લઈ આવ્યા અને ત્યાં તેને કતલ કર્યો. પ્રભુદાસ વસાવડા દીવાન
આ સિંઘ અને કુરતાભરેલા અધમ કૃત્યથી સર્વત્ર હાહાકાર થઈ ગયે. અન્ય રાજ્યોને કચડી નાખી નવાબની સત્તાને સર્વોપરી બનાવનારા દીવાન ભાઈઓ અને અન્ય મુસદ્દીએ ચુપચાપ બેસી રહ્યા. સુંદરજી શિવજી ઉપર કેપ્ટન બેલેન્ટાઈનને હાથ હતું તેથી તે માટે એજન્સીએ પણ કાંઈ પગલાં લીધાં નહિ નિર્દોષ સાધુઓની વિના કારણ કતલ કરનાર નવાબના દીવાન સુંદરજીને જૂનાગઢમાં વિશેષ રહેવું શકય ન હતું તેથી તેણે જૂનાગઢ બહાર ચાલ્યા જવાનું યોગ્ય ધાયું અને સૈન્યના ચહત પગારની અધી રકમ પંદરથી ચૂકવી દેવાની શત નવાબે પ્રભુદાસ વસાવડાને દીવાનપદ આપ્યું પરંતુ સાધુઓની કતલ પછી વાતાવરણ એવું કલુષિત થઈ ગયેલું કે પ્રભુદાસ પંદર દિવસમાં જ છૂટા થયા. કેથલીનું સમાધાન
પ્રજાને રેષ ભભૂકતે હતા. કેઈનામાં તેમ છતાં એક શબ્દ પણ ઉન્ચારવાની હિંમત ન હતી; સ્વાર્થ સિવાય અન્ય કોઈ વિચાર ન હતા. સમાજ, રાષ્ટ્ર, ધર્મ કે દેશની તે સમયમાં કેઈને કાંઈ પડી ન હતી અને આગેવાને માત્ર રાજસત્તા મેળવવા કે પિતાનું સ્થાન બચાવવામાં પડ્યા હતા ત્યારે વિરોધ કેણ કરે ? છતાં નવાબે પ્રજાનું માનસ વિચારી કોયલીના મહંતને બોડકા અને નવલખી નામનાં ગામડાંઓ આપી સમાધાન કર્યું. નવલખીને બદલે પાછળથી ઉચેરા આપ્યું જે હાલ રંગપુર નામે ઓળખાય છે. અમરજી તથા મૂળચંદને પણ મુકત કર્યા. દીવાન રઘુનાથજીનું મૃત્યુ . . વિ. સં. ૧૮૭૫ના જેઠ માસમાં ભયંકર ધરતીકંપ થયો અને તે જ વર્ષના આસો સુદ દશમને દિવસે દીવાન રઘુનાથજી માત્ર પ૬ વર્ષનું આયુષ્ય ભોગવી ગુજરી ગયા.