________________
૧૮૦ : જૂનાગઢ અને ગિરનાર
- રઘનાથજી એક વીરં પિતાના પરાક્રમી અને શક્તિશાળી પુત્ર હતા. તેઓ એક મહાન સેનાધ્યક્ષ, કુશળ મંત્રો અને વીર યોદ્ધા હતા. તેનામાં કલમ અને કટારને સુમેળ હતિ. રઘુનાથજીને તેના પ્રતાપી પિતાના સિદ્ધાંત ઉપર ચાલવાનું હતું અને તે સાથે તર ગી અને નિર્મળ મનના માલિકની મહેરબાની અચળ રહે તે માટે સતત જાગૃત રહેવાનું હતું. તેની ધર્મભાવના, ઔદાર્ય, નીતિરીતિ, યુદ્ધકૌશલ્ય, વિદ્વતા, પ્રતિભા અને વ્યક્તિત્વથી તેણે એ સમયના રાજમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેણે ગંભીરતાપૂર્વક રાજકીય સમતુલા જાળવી જૂનાગઢ રાજ્ય કે જેને રાજકર્તા મુસ્લિમ હતો, સેનામાં મુસ્લિમ હતા, પ્રજાને મોટે ભાગ હિન્દુ હતે. શત્રુ હિન્દુ હતા તેવા રાજ્યને તેણે કુશળતાપૂર્વક કારભાર કર્યો અને જયારે જ્યારે અસત્ય, અનીતિ કે અન્યાય આચરવાનું અનિવાર્ય બનતું ત્યારે ત્યારે તેણે તેના સિદ્ધાંતને ત્યાગ ન કરતાં પિતાના પદને ત્યાગ કરવામાં અને ધન અને વૈભવને ભેગ આપવાનું પસંદ કર્યું હતું. રઘુનાથજી સ્વામીભકિત અને નિમકહલાલીને અનુપમ અને આદર્શ દષ્ટાંતરૂપ હતા. સાડા ત્રણ દાયકા સુધી સૌરાષ્ટ્રના ઈતિહાસમાં તણે એક અનોખી ભૂમિકા ભજવી હતી. તેણે જૂનાગઢ રાજયને અગ્રિમ રાજય બનાવ્યું અને જામનગર રાજ્યને સદ્ધર અને શકિતશાળી રાજ્ય બનાવવામાં સક્રિય હિ આપ્યો. જે તેણે અને રણછોડજીએ તેના પિતાના ઘાતને બદલે લેવા ધાર્યું છે તે તેઓ સોરઠના સ્વામી થઈ શકયા હેત અથવા જૂનાગઢ પ્રત્યે દ્વેષ રાખી વેર લેવા ધાર્યું હતું તે તેઓ નવાબીને નષ્ટ કરી શકયા હેત. જે તેમણે જૂનાગઢ પ્રત્યે અનુરાગ ત હેત તે ગાયકવાડ કે અન્ય રાજકર્તાની કૃપા મેળવી નામના અને નાણું મેળવી શક્યા હેત પણ તેમની જન્મભૂમિ અને કર્મભૂમિ જૂનાગઢની તેમણે અનેક યાતનાઓ અને દુઃખ ભેગને અનુપમ સેવા કરી અને તેમની ઉમદા વિચારકોણી, શુદ્ધ સંસ્કાર અને ઉચ્ચ પ્રણાલિકાઓ ઉપર ચાલી બલિદાનની પરંપરા જાળવી.
કારાવાસ, અપમાન, દગોફટકા, કાવાદાવા અને ખટપટના વારંવાર ભેગ * બન્યા છતાં તેણે નવાબને વફાદાર રહી તેની સત્તાને સ્થિર કરવામાં અને રાજ્યનું જ હિત જોવામાં જીવન ખર્ચી નાખ્યું. તે માટે આજે ટીકાકારે, તેની આજની દષ્ટિએ ટીકા કરી શકે છે. પણ તે માટે તે સમયની રાજનીતિ અને વિચારધારા જે પ્રકારની હતી તે દૃષ્ટિ સમક્ષ રાખી તેને ન્યાય
કરવો જોઈએ. - રઘુનાથજીને પુત્ર ન હતા, એક પુત્રી હરકુંવર હતાં, તેથી રઘુનાથજીએ