________________
૧૭૮ : જૂનાગઢ અને ગિરનાર
વિરોધી પ્રવૃત્તિને કારણે જયને બહુ મોટું નુકસાન થયું. સુંદરજી શિવજી સેદાગર
કચછના વતની અને રાજાઓને તથા કંપની સરકારને માટે જોડાઓ પૂરી પાડતા સુંદરજી શિવજી સોદાગર નામના વ્યાપારીએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને અંગ્રેજ અમલદારો સાથે મૈત્રી કરી તેણે જૂનાગઢ રાજયમાં દીવાનપદ પ્રાપ્ત કરવા પ્રયાસ શરૂ કર્યા તેણે નવાબને પરિચય કરી તેને એવી વાત કરી કે જે તેને દીવાનગીરી આપવામાં આવે તો અંગ્રેજ અમલદારો સાથેની તેમની લાગવગ અને સમૃદ્ધ ધનકેષથી નવાબ પાસેથી ગેડલે લઈ લીધેલાં ધોરાજી અને ઉપલેટા પરગણું તે પાછાં મેળવી દેશે અને વાડાસિનેરનું રાજય પણ બડાદરખાનના જયેષ્ઠ પુત્ર તરીકે નવાબના પિતાનું હતું તે પણ તેના કાકા એ દબાવી દીધું છે તે પાછું લઈ દેશે. તેણે એમ પણ નવાબને કહ્યું કે દીવાન અને મુત્સદીઓએ નવાબના હક્કો ડુબાવી મેટી સંપત્તિ એકત્ર કરી છે તેથી તેમની પાસેથી પચાસ લાખ કોરી જેટલો દંડ તે વસૂલ કરાવી દેશે અને માંગરોળ ખાલસા કરી જૂનાગઢ રાજ્યમાં ભેળવી દેશે - નવાબે આ પ્રલેભનેને વશ થઈ રઘુનાથજી તથા રણછોડજીને મુક્ત કર્યા અને ઈ. સ. ૧૮૧૮માં સુંદરજીને દીવાનગીરી આપી.
સુંદરજીએ નાગરે અને મુત્સદ્દીઓને અપાર ત્રાસ આપ્યો તેથી તે વર્ષ વિ. સં. ૧૮૭૪નું હોવાથી “નાગરને ચુતરો” નામથી પ્રસિદ્ધ થયું. - સુંદરજીએ તે પછી અમરૂલાહ તથા મુગટરામ બક્ષીને પોતાના પક્ષમાં લઈ પોલિટિકલ એજન્ટ બેલેન્ટાઈનને ટેકે મેળવી રઘુનાથજી દવાનના પક્ષના અમરજી રૂદ્રજી ઝાલા તથા મૂળચંદ હેમતસિમને પકડી લીધા અને અમરૂલાને દીવાનપદ અપાવી પોતે સર્વસત્તાધીશ થઈ પડે. અમરૂલાહ નામને દીવાન રહ્યો
'' સાધુઓની કતલ
અમરજી રૂદ્રજી તથા મૂળચંદ હેમતરામને કેદ પકડતાં તેના બહાંધર કેયલીન મહંત કૃપાલગિરિ, જૂનાગઢના સૈયદ, મેઘપુરના ભાટ મૂળ નરસંગ અને કલાએ નવાબને આ બંને રાજપુરુષોને મુકત કરવા વિનંતી કરી પણ તેનો સ્વીકાર થયો નહિ ત્યારે તેઓ ધારણે બેઠા. નવાબે શેખ અમરૂલ્લાહ, મિયાં અબ્દુલકાદર, ઝીણુ મહેતા તથા મુગટરામ બક્ષીને તેઓને સમજાવવા મેકલ્યા જયારે તેઓ સમજ્યા નહિ અને અમરછ તથા મૂળચંદની મુકિત