________________
બાબી વંશ-પૂર્વાર્ધ ઃ ૧૭૭
આ વાર આડે વાળ દઈ નવાબને જાન બચાવી લીધો.
ઉમર મુખાસનની આ સિંઘ અને નિમકહરામી પ્રવૃત્તિનું વર્ણન નવાબે પોલિટિકલ એજન્ટ બેલેન્ટાઈન ઉપર લખી મોકલી તેની સહાય માગી. તેણે તેના ઉત્તરમાં વગર વિલંબે દીવાન રઘુનાથજીને દીવાનપદ આપવા આગ્રહ કર્યો.
ઉમર મુખાસન એ બળવાન અને વગદાર હતું કે આ વા હુમલા છતાં નવાબ કાંઈ કરી શકયા નહિ. રઘુનાથજીને નવાબ દીવાનપદે નિયુક્ત કરે છતાં ઉમરનું બળ તૂટે તેમ હતું નહિ તેથી તેણે રણછે.ડજી, મુગટરામ તથા અમરૂલાહને બેલેન્ટાઈન પાસે મોકલ્યા અને જાહેર કર્યું કે ઉમર બળવાન છે. વળી તેને ગાયક્વાડના સેનાપતિ વિલરાવને ટકે છે અને તેને પારપત કરવા માટે માત્ર બ્રિટિશ સેના જ સમર્થ છે. બેલેન્ટાઈને આ ઉપરથી કેપ્ટન એસ્ટનને સૈન્ય સાથે જૂનાગઢ મોકલ્યા અને તેણે ઉમર મુખાસનને પરહેજ કરી તેનું મુખ્ય ઢાંકી ઉઘાડે પગે ચલાવી બેઈજજતી કરી હદપાર કર્યો.
વિઠ્ઠલરાવને આ કૃત્યથી દુઃખ લાગ્યું પણ તે કાંઈ કરી શકે તેમ ન હતું તે પણ તેણે તેની લાગવગ વાપરી ઉમર મુખાસનને પીપળિયા અને ટીંબડી ગામે નવાબ પાસેથી અપાવ્યાં અને નવાબે સાલમ બીન હમીદને સાંગાવાડા અને હસન અબુબકરને ચાલીસ હજાર કરી રેકડી આપી અને તે ત્રણેનું નવાબ પાસે લહેણું હતું તેની પહોંચ લઈ લીધી.
આ કાર્યમાં દીવાન ભાઈઓએ નવાબને સહાય કરેલી તેથી નવાબે રઘુનાથજી તથા રણછોડજીને દીવાનપદે નિયુકત કર્યા અને ઉમરને પકડીને હદપાર કરવાના કાર્યમાં સક્રિય સહાય આપી તે માટે નવાબે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને રૂ. ૨,૬૪,૨૮૫-૧૨ ૭ ખર્ચ પેટે ચૂકવ્યા. તે ઉપરાંત નવાબે કંપની સરકારને મુકગીરીને ખર્ચ આપવા, તેમાં સાથ આપવા, કંપનીના અધિકાર નીચેના ધંધુકા, રાણપુર અને ઘોઘા તાલુકામાં ઉપર નવાબના મુલ્કગીરી લેવાના હકકો છોડી દેવા. એક લાખ કેરીની ઊપજવાળા પ્રદેશો કંપનીને સેપી દેવા અને એજન્સી મંજૂર ન કરે તેવા આરબોને નોકરીમાં ન રાખવા નવાબે કબૂલાત આપી કરાર કરી આપ્યું. આ કરારમાંથી મુંબઈના ગવર્નરે એક લાખ કેરીની ઊપજવાળા પ્રદેશ સોંપવાની શર્ત રદ કરતાં બાકીના કરારને અમલ તા. ૧૩મી એપ્રિલ ૧૮૨૭થી કરવામાં આવ્યું.
આમ આરબ જમાદાર ઉપર બીન મુખાસનની વિદ્રોહી અને રાજકર્તા જૂરિ-૨૩