________________
બાબી વંશ-પૂર્વાર્ધ : ૧૭૩
બેગમે ડીબુ ધારા કારભારી મંડલને તેડાવી દીવાન રઘુનાથજીને તેડી આવવા આજ્ઞા કરી. જમાદાર ઉમરને તથા તેના સાથીઓને આ વાત ચી નહિ છતાં બેગમની હઠ આગળ કાંઈ ચાલ્યું નહિ અને રઘુનાથજીને તેડી આવવા, જમાદાર ઉમર મુખાસન, હામીદ બીન અમર, સાલમ બીને હમીદ, હસન અબુ બકર, રસ કહાનદાસ શેઠ, કહાનદાસ વૈશ્નવ, મુગટરામ બક્ષી, ઝીણા મહેતા તથા વાઘજી દેશાઈને મોકલ્યા.
દીવાન રઘુનાથજી આવ્યા નહિ પણ રણછોડજીને મેકલ્યા. રાજકુટુંબ તથા દરબારીઓ અને અમને, શા કારણે રઘુનાથજીને પાછા લાવવા સમજાવ્યા હતા તથા તેમણે શી રીતે કરવાનું છે તે માટે રણછોડજીએ કાંઈ કેઈને પૂછયું નહિ અને આવતાંવેંત “સહુને ડારા ડફારા દઈ કરસનદાસના ઉચાળા ધોરાજી કહાડયા ને સર્વે ને ભડકાવી નાખ્યા તે ઘડી જમાદાર ઉમર અમરેલી ચડી નીસર્યો ને માસ ત્રણ રહ્યો. પછી દીવાન વિઠોબાના ભાઈ ગોવિંદરાવને સવારે ૩૦૦ થી અહી તેડી આવ્યા ને ભૂતનાથમાં માસ દેઢ રહ્યો”.' પણ તે કાંઈ કરી શક્યો નહિ. અંધાધૂંધી વિશેષ વધી ગઈ તેથી બેગમે કબીરખાન, નખાન તથા ઈસ્માઈલખાનને કુતિયાણ મોકલી રઘુનાથજીને જૂનાગઢ આવી દીવાનગીરી સ્વીકારવા વિનંતી કરી અને જયારે તેણે જૂનાગમાં પ્રવેશ કર્યો ત્યારે નવાબે અને રાજમાતાએ સામા જઈને તેનું સ્વાગત કર્યું અને તે સાથે તેમને વંશપરંપરાગત દીવાનગીરી પ્રદાન કરી. કંપની-ગાયકવાડની સવારી - ઈ. સ. ૮૧રમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સન્ય કેપ્ટન કનકની સરદારી નીચે ફતેહસિંહરાવ ગાયકવાડ સૌરાષ્ટ્ર ઉપર પેશકશી લેવા આવ્યા તેની સાથે સૌરાષ્ટ્ર ઉપર ચડયા ગાયકવાડના સેનાપતિ વિઠ્ઠલરાવ રેવજી પણ સાથે લઈ ગયા. આ પ્રચંડ સેજે જૂનાગઢ પાસે લાલવડ ગામે છાવણી નાખી અને પોતાના પિતાની ગાદી ઉપર નવાબ બેઠા તેનું નજરાણું ભરી જવા નવાબને આજ્ઞા કરી.
આ નવા પ્રકારને કર અને અનધિકૃત લેવી આપવા દીવાન રઘુનાથજીએ ઈન્કાર કર્યો અને સમસ્ત શકિત અને બળથી સંયુકત સન્યને સામને કરવા કિલ્લેબંદી કરી અને લાલવડથી જૂનાગઢના માર્ગમાં કાંટા, પથ્થર અને અન્ય અવરોધક પદાર્થો પાથરી દઈ, શત્રુની આગેકૂચને મુશ્કેલ બનાવી દીધી.
1 એજન. તારીખે સોરઠ આ માટે મૌન છે.