________________
૧૭ર : જૂનાગઢ અને ગિરનાર
વ્યવહાર છે તેમાં બહાદરખાન અનૌરસ પુત્ર હતા તેમ જણાવ્યું છે. કેપને મેકર્ડની તપાસ પછી બહાદરખાનને ગાદીવારસ તરીકે ગાયકવાડે સ્વીકારી તે રીતિકની અવજી કેડીનાર તથા અમરેલીમાં નવાબનો જે કાંઈ ભાગ હતે તે પણ લખાવી લીધે...? રઘુનાથજી પુનઃ દીવાનપદે
તે પછી રાજતંત્ર સ્થિર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે. મહૂમ નવાબ એક કડ કરીનું કરજ મુકતા ગયાં હતા. અમીરો અને દરબારીઓમાં પક્ષો પડી ગયા હતા. અને તંત્ર અવ્યવસ્થિત થઈ ગયું હતું. ગાયકવાડે સર્વોપરી સત્તા મેળવી લીધી હતી અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સાર્વભૌમ સત્તા પણ નિશ્ચિત થઈ ગઈ હતી ત્યારે રાજયની પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી શકે અને આંતરિક વહીવટ શિયર કરી શકે તેવી પડાવદાર વ્યકિતને રાજયનું સુકાન સેંપવાનું આવશ્યક બન્યું. 1 . જમાનામાં રાજમાતાની સલાહકાર પ્રભાસપાટણની ડેસીબુ નામની બાઈ હતી. નવાબની સગીર અવસ્થામાં રાજમાતાની આજ્ઞા લેવી આવશ્યક હતી અને તેથી ડોસીબું કર્તાહર્તા થઈ પડી. મહૂમ નવાબના ખાનગી મંત્રી - કહાનદાસ તાપીદાસ વૈશવને તેના પદેથી દૂર કરવામાં આવેલ. તે છતાં તે લખે છે કે “સર્વે કારખાનું પાટણનું આવ્યું. બાઈ ડે સીબુ તે રાજકાજથી નાવાકેફ ને મહેતા ઝીણું તથા મુગટરામે પ્રથમને કારકુનને પિતાનામાં મેળવી લીધા એટલે તે પણ એકરૂપ થઈ ગયા. દેશાઈ વાઘજી તે પાકું માણસ. છેટે છેટે રહેતા પણ બાઈ રોજકુંવરને તથા ડેસીબુને દેશાઈને ભસો પૂરતઆમ વાઘજી દેશાઈ જેવા પ્રખર રાજપુરુષે બેગમને સલાહ આપી કે તમે કહાનદાસને બેલાવીને પૂછો. બેગમ પાસે એક રાત્રે ચુપકીથી કહાનદાસ ગયા અને તેણે કહ્યું કે “વંથળી દરવાજાની હવેલીમાં તથા ઉપરકેટમાં નવાબે કરી દટી છે તે ખોદી કાઢી, સિપાહીને પગાર ચૂકવે તથા દીવાન રઘુનાથજીને બેલાવી દીવાનપદ આપો.'
1 આ હકકો રધુનાથજીને બરતરફ કરતી વખતે લખાવી લીધો હતો પણ કોડીનારને
અર્ધો ભાગ ગાયકવાડે આ સમયે લખાવી લીધો 2 જુઓ ઈતિહાસદર્શન, ભા. ૪, . હ. દેસાઈ. 3 શ્રી કહાનદાસ તાપીદાસનું આત્મચરિત્ર, સંપાદન : શં, હ. દેશાઈ.