________________
બાબી વંશ-પૂર્વાર્ધ ઃ ૧૭૧
ખાને જરૂર જૂનાગઢનું રાજ્ય ગુમાવી દીધું હેતા બહાદરખાનજી રજા
નવાબ હામદખાને તેના યુવરાજ બહાદરખાન ઉફે દાદામિયાંને તથા તેની માતા રાજકુવરને, તેના સીદી ગુલામ દ્વારા દારૂ ભારેલું માટલું સળગાવી રાજમહેલને આગ લગાડવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ મૂકી પ્રભાસપાટણમાં નજરકેદ રાખેલાં. નવાબ હામદખાનની બીમારી વધી તેથી આજમબેગ ચેલા, કહાનદાસ તાપીદાસ વૈશ્નવ, મુગટરોય બક્ષી અને ઝીણા મહેતા, આ માતા પુત્રને પ્રભાસપાટણથી તેડી આવ્યા. તેઓ ત્યાંથી દેશાઈ ઉમિયાશંકર જીભાઈ તથા દેશાઈ વાધજી કહાનજીને પણ તેહતા આવ્યા. નવાબના મૃત્યુ પછી આ સહુએ નવાબને ગાદીએ બેસાડયા. ગાદીને ઝઘડે :
અમીર અને દરબારીઓએ નવાબ બહાદરખાનને ગાદીએ બેસાડ્યા પરંતુ મહૂમ નવાબની બાબી ખાનદાનની બેગમ કમાલબખ્તનાં પુત્ર સલાબતખાને તેના માતામહ, રાધનપુરના નવાબ દ્વારા બહાદરખાનની માતા બાબી નથી તે મુદ્દા ઉપર પિતાને હક્ક છે તેમ કંપની સરકારમાં ફરિયાદ કરી. રાધનપુર નવાબની કંપનીમાં લાગવગ હતી તેથી વડોદરાના રેસિડેન્ટ કર્નલ કનકે તેના હક્કને ટક્કે આ પણ જૂનાગઢના મુત્સદ્દીઓએ એવું સાબિત કરી આપ્યું કે, સલાબતખાન હોમેદખાનને કે કમાલબખ્તને પુત્ર જ ન હતા.
ગાદીવારસ પ્રશ્ન ઉપસ્થિત થતાં દરબારીઓમાં બે પક્ષે પડી ગયા. બહાદરખાન પક્ષની નેતાગીરી ઉમર મુખાસને લીધી અને સલાબતખાનના પક્ષની નેતાગીરી દીવાને રઘુનાથજીએ લીધી. તારીખે સોરઠમાં આ પ્રશ્નને કાંઈ કહેવામાં આવ્યું નથી. માત્ર બાબી રૂલર્સ ઓફ સોરઠ આ વિધાન કરે છે પરંતુ તે બરાબર જણાતું નથી, જે રઘુનાથજીએ સલાબતખાનને પક્ષ લીધો હેત તે બહાદરખાનના પ્રથમ દીવાન તરીકે તેની નિમણૂક થઈ તે ન થાત. ગાયકવાડસ ઓફ બરોડા, ૫. ૭ માં એજન્સી અને ગાયકવાડ વચ્ચે પત્ર
-
-
1 શ્રી કહાનદાસ તાપીનું આત્મચરિત્ર-સંપાદન : શં, હ. દેસાઈ 2 ઉમિયાશંકર દેશાઈ આ પ્રસંગ પૂર્વે પણ નવાબની કચેરીમાં અગ્રીમ કક્ષાના રાજપુરુષ
હતા. જુઓ પિતૃતર્પણ. શં. હ. દેશાઈ. 3 રધુનાથજીએ સલાબતખાનનો પક્ષ લીધે હતે તે ઉલ્લેખ શ્રી કહાનદાસ તેના આત્મ
ચરિત્રમાં કરે છે પરંતુ તે સંભવિત નથી. તેણે નવાબ વિરુદ્ધને પક્ષ લીધો હોત તો તેને દીવાનપદ આપત જ નહિ.