________________
૧૭૦ : જૂનાગઢ અને ગિરનાર :
મડલ રચ્યુ, તથા જે મહેલમાં તેમને પધરાવેલા તેને પોતે રગમહેલ કહ્યો તેથી નવાબે તે નામ સ્વીકારી તે મહેલને ર ગમહેલ અને તે લત્તાને રંગમહેલ ફળિયુ નામ આપ્યુ..1
હામેદખાનનુ મૃત્યુ
પોતાની તરંગી, ક્રુર અને અવિચારી પ્રકૃતિના કારણે નવાબે રઘુનાથજી, રણછોડજી, પ્રભાશંકર, દયાળજી વગેરે પરાક્રમી અને સ્વામીભકત મુત્સદ્દીઓ અને મહારથીઓની શકિતના ઉપયોગ ન કરતાં જૂનાગઢ રાજ્યના મેાત્રા અને દરજ્જાને હલકા પદે મૂકી ઇ. સ. ૧૮૧૧ના ફેબ્રુઆરીની ૨૮મી તારીખે મૃત્યુ પામ્યા.
નવાબ હામેદખાન શરીરે જેવા જાડા હતા તેવી તેની બુદ્ધિ પણ હતી. કલ વાકર તેના માટે લખે છે કે તેનામાં કાપટ, હીચકારાપણુ, ઈર્ષ્યા અને લેાભ સિવાય કાંઈ હતું નહિ. તેની કુટેવે! અને ચારિત્ર્યડીનતાને કારણે તેણે અનેક ઉપાધિએ વહેારી લીધી હતી. તેણે તેની વિચિત્ર વર્તણૂકવી અને અસ્થિર સ્વભાવથી તે પ્રજામાં અપ્રિય થયા હતા અને તેના સ્વામીભકત સેવાને તેના વિશ્વાસ હતા નહિ. વંથળી ઉપર બાબાજીએ ઘેરા ધાલ્યા ત્યારે તેને ત્યાં સૈન્ય માકલવું હતું પણ તેના હજુરી કે સરદારા કાઈ તૈયાર થયા નહિ અને જ્યારે તેણે કારણ પૂછ્યું ત્યારે મીરઝાં આજમષેત્રે કહ્યું જે....વ થળી જોઈએ તેમ નજર પહોંચતી નથી તે! શા માટે જે પ્રથમ વેરાવળમાં ચેલા દલેલખાંને માકલ્યા હતા તેની ખરાબી અમે જોઈ છે. વર્ષે ૮ સુધી સરકારમાં પેઢાનેા હુકમ નહિં તેનાં પેટીયાં લુગડાં બંધ કીધાં હતાં.3’ નવાબના ખાના સદા ખાલી રહેતા. તેને રહેવા માટે કાઈ સારા રાજમહેલ પણ ન હતા. કલ ટોડે તેનું નિવાસસ્થાન જોઈને ઈ. સ. ૧૮૧૭માં પ્રગટ કરેલા તેના પુસ્તકમાં લખ્યું છે કે નવાબ ખંઢેરમાં રહે છે.' નાચ, રંગ અને આન પ્રમાદમાં પડી રહેતા અને રાજ્યતંત્ર ચલાવવાની સંપૂર્ણ કમઆવડુત ધરાવતા આ નવા પાસે દીવાનભાઇએ ન હેાત અને તેના હિતાનું રક્ષણ તેમણે તેમનાં સ્વમાન અને સલામતીને ભાગે ન કર્યું હેત તે હામેઃ
:
c.
1 ભકતિશામિણ ઠાકોર શ્રી ઝીણાભાઇ-શાસ્ત્રી શ્રી ધર્મવલ્લભદાસજી 2 કર્નલ વેાકરને રિપોર્ટ
૩ શ્રી ક્હાનદાસ તાપીદાસનું આત્મચરિત્ર- સ’પાદન : શ'. હ. દેશાઈ . 4 ટ્રાવેલ્સ ઇન વેસ્ટન ઈન્ડિયા-કર્નલ શેડ