SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-પૂર્વાધ : ૧૬૯ કરવામાં નહિ આવે. (૩) તેમને ગાડાની અને બીજી સગવડો આપવામાં આવશે. (૪) જે કઈ પ્રવાસી કે વ્યાપારી લૂંટાશે તે તેની નુકસાની જે તે તાલુકાને ભરી દેવી પડશે. (૯) (૧) કઈ જમીનદારની જમીનમાં કે ગામડાઓમાં પેશકદમી કરવામાં નહિ આવે. નવાબે આ શર્તના પાલન માટે ચારણિયાના ચારણ સુરૂ કા ખીમાને કાયમી આડ જામીન આપ્યા. - આ કબૂલતમાં સહીસિકકા થઈ જતાં આનંદરાવ ગાયકવાડે જૂનાગઢ તાલુકાના કારભારીને કર્નલ વેકરની સહી તથા ગાયકવાડની મહારવાળી સંવંત ૧૮૬૪ના પિષ સુદી ૧ની તારીખવાળી સનંદ આપી જણાવ્યું કે, “સંવંત ૧૮૬૪માં તમારા તાલુકા એટલે જૂનાગઢ તાલુકો, માંગરોળ કસબો અને ગાધકડા ગામ કે જે કાયમથી તમારા અધિકારમાં છે. તેની દર વરસે હજુરને વડોદરા ભરવાની ખંડણી મુકરર થઈ તેની કબૂલાત આપી છે તેને તમે વફ દાર રહેજે અને તાલુકે આબાદ કરજે. હજુર વડોદરાથી મુકરર કરે તે પ્રમાણે દર વરસે જમાબંદી અને ખરાજાતના હતા નિયમિત રીતે આપે જજે.” “આ શર્તોના પાલન માટે અમારા તરફથી મેજર એલેકઝાન્ડર કરને નામદાર કંપની સરકારના પ્રતિનિધિ તરીકે બહાધર આપીયે છીએ.' આ સનંદથી જૂનાગઢનું રાજય વડોદરા તાબાનું રાજ્ય થઈ ગયું અને તેને હવે જોરતલબી વસૂલ કરવા જવાનું પણ બંધ થયું. ગાયકવાડે જૂનાગઢના દીવાનને કારભારી ગયા અને જૂનાગઢ રાજયને તાલુકાની કક્ષા આપી. નવાબે આ શર્તે ઉપરાંત સમુદ્રમાં સફર ખેડતાં વહાણેને ચાંચિયાઓથી રક્ષણ આપવાનું તથા મુશ્કેલીમાં આવી પડેલાં જહાજોને મદદ કરવાનું અને જે ભાગે તે તેના ભંગાર ઉપર કેઈપણ પ્રકારને હકક ન રાખવાની પણ કબૂલત આપી. શ્રી સહજાનંદજી મહારાજ સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રવર્તક શ્રી સહજાનંદજી મહારાજ જૂનાગઢમાં પધાર્યા ત્યારે નવાબ સામે ખાને તેઓશ્રીને પંચાળા દરબાર ઝિણાભાઈ દ્વારા રાજમહેલમાં આમંત્રણ આપી પધરાવ્યા. ત્યાં રાસ જૂ. ગિ–૨૨
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy