SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ : જૂનાગઢ અને ગિરનાર ગયા ત્યારે દીવાન વિઠ્ઠલરાવે કલવા ર્ આગળ રૂધનાથજી તથા રણછેડજીની નિંદા કરી. તે સાંમળી વકરે કહ્યું કે નવાબ પાસે દીવાનનું સાઠ લાખનું લહેણું ગાયકવાડે મુકરર કર્યુ” છે તથા દીવાન અમરજીના માથા બદ્દલ સેાળ ગામા આપવામાં આવેલાં તે વિ. સ. ૧૮૪૯માં દગાથી પડાવી લીધાં છે તે માટે નવાબના ખુલાસા પૂછવામાં આવશે. દીવાન અમરજીના પ્રયાસેાથી જીતવામાં આવેલા પ્રદેશા હુ" જપ્ત કરીશ અને તેના પુત્ર રઘુનાયજીને આપીશ. દિલ્હીના કયા સુલતાનની સનદના આધારે નવાબ જૂનાગઢ રાજ્યના કો કરી બેઠા છે ? તેણે એમ પણ ઉમેર્યુ કે, ‘આ દીવાનના જે શત્રુ છે તે ઈંગ્લિશ સરકારના શત્રુ છે.'' કર્નલ વેકરે આ પ્રસંગે સુરત અને મુંબઈનાં વહાણે નવાબદર પાસે ચાંચિયાઓએ લૂટી લીધેલાં તે માટે નવાબના દંડ કરી તે વહૂલ લીધા.2 સેટલમેન્ટ તે પછી કર્નલ વકરે ઈ. સ. ૧૮૦૬માં કાડીનાર, અમરેલી અને માંગરાળના જૂનાગઢ રાજ્યમાં સમાવેશ કરી તેનું સેટલમેન્ટ કર્યુ” જૂનાગઢ ગાયકવાડને દેવાની ખંડણીની રકમ પણ મુકરર કરી. વિ. સં. ૧૮૬૪ના માગસર સુદ ૫ ના ગજ નવાખે ગાયકવાડ અને પેશ્વાની સરકારને એક ખત આપ્યું, તેમાં નવાબના ફૂલ જામીન મેધપુરના ભાટ મૂળુ નરસંગ થયા. આ ખતમાં નવાબે નીચેની કબૂલાતા કરી : (ઙ્ગ) (૧) ખીજા રાજા સામે દુશ્મનાવટ નહિ રાખુ. (ર) હારવટિયાને રક્ષણ નહિ આપું (૩) ખીજાને ઉશ્કેરી ઉપદ્રવ નહિ કરાવું (૪) ચારાને આશ્રય નહિ આપુ` (૫) બીજ તાલુકાના ભાયાતાનાં ગામા વેચવા આવશે તા સરકારને ખબર આપીશ. (થૅ) (1) ક*પની સરકાર કે ગાયકવાડના ગુનેગારને રક્ષણ નહિ આપું. (૪) (૧) મારા રાજ્યની સરહદે આવેલા, કંપની સરકાર, પેશ્વા સરકાર કે ગાયકવાડના મહાલાના ધારી માર્ગો ઉપર લૂટફાટ કે ધાડા પાડવામાં નહિ આવે (૨) પ્રવાસીઓ, વ્યાપારીઓ અને બીજાઓને હેરાન કર 1 તારીખે સેટરડ-ભાષાંતર : શં. હ. દેશાઈ 2 શ્રી કહાનદાસ તાપીદાસ તેના આત્મચિરત્રમાં ઉલ્લેખ કરે છે તે આ જ પ્રસગે હશે. આ પ્રસગની નોંધ આગળ લેવામાં આવી છે,
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy