________________
બાબી વંશ-પૂર્વાર્ધ ઃ ૧૬૭
રહેવા ચાલ્યા ગયા. નવાબે રેવાશંકર ત્રિકમદાસનેમ દીવાનપદે નીમ્યા અને મદદનીશ દીવાન તરીકે દયારામ છાયાને નિયુકત કર્યા.
ઈ. સ. ૧૮૦૬માં કર્નલ વેકરે રેવાશંકરને માળિયા મિયાણા મુકામે તેડાવી સેટલમેન્ટ કરવા ચર્ચા કરી અને ત્યાંથી તે પાછા આવતાં તેને નવાબે
ટા કરી કારભાર ઉમર મુખાસન, મિરઝાં આજમબેગ તથા કરસનદાસ શેઠને સોંપ્યો. આ ફેરફાર વિઠ્ઠલરાવ દેવાજીની આજ્ઞા સ્વરૂપની સલાહથી કરવામાં આવ્યા હતા. વિઠ્ઠલરાવની ઈચ્છા રઘુનાથજીને પગ રાજપમાંથી ને માટે કાઢવાની હતી અને જૂનાગઢ ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપવાની હતી. તેણે રઘુનાથજી કાંઈ બોલે નહિ તે મોટે ભાડેર, ભલગામ વગેરે ચાર ગામડાંઓ આપ્યાં અને અમરેલી, દામનગર અને ધારીમાં જૂનાગઢને ભાગ હતા તે લખાવી લીધો.
કારભારી મંડલે હેમતરામ કાકાભાઈને પેશકાર નીમ્યા અને જોરતલબી વસૂલ કરવા નો મોકલ્યાં પણ તારીખે સોરઠમાં દીવાન રણછોડજી લખે છે કે “તઓએ આજમબેગ છેલા અને કરસનદાસ વાણિયાની સૂચનાથી જમાબંદી વસૂલ કરવા સૈન્ય દેર્યા. પણ એક કીડીને પણ ખીજવી શકયા નહિ.” તેઓએ શેખ અલી નામના વેપારીની દુકાને કચેરી ઠેરાવી'.
નવાબ નાચરંગની મહેફિલેમાં નર્તકીઓ અને સાકીઓ વચ્ચે વાપી ગયા અને નવાબની ઉપાંગના અને પબાઈ રાજ્યતંત્રમાં હસ્તક્ષેપ કરી નવાબને દેરવણ આપતી રહી. પરિણામે રાજ્યમાં અંધાધૂંધી વ્યાપી. અંગ્રેજ હકુમત
ઈ. સ. ૧૮૦૭માં ખેડાના કલેકટર કર્નલ એલેકઝાંડર વોકરને કંપનીએ કાઠિયાવાડના રેસિડેન્ટને પણ ચાર્જ આપ્યો. ઈ. સ. ૧૮૦૨માં થયેલી વસઈની તહની કલમો અનુસાર પેશ્વાના સમગ્ર અધિકારો અને હકો ઈસ્ટ ઈન્ડિયા કંપનીને મળ્યા તે અન્વય કર્નલ વેકરે ગાયકવાડના દીવાન વિઠ્ઠલરાવ દેવાજી સાથે સોરઠમાં આવી વસલાત લેવાનું શરૂ કર્યું. દીવાન રણછોડજી તેને કંડોરણા મુકામે શિષ્ટાચાર ખાતર તે સમયની રીતિ અનુસાર મળવા
1 જૂનાગઢના મજમુદાર (અમરેલી)ના પૂર્વજ. 2 શ્રી કહાનદાસ તાપીનું આત્મચરિત્ર. સંપાદન : શું હ. દેસાઈ 3 એજન.