________________
બાબી વંશ-પૂર્વાર્ધઃ ૧૫
દીવાન ભાઈઓને મોટે વિરોધી હતા અને તેણે રઘુનાથજી તથા રણછેડછને જૂનાગઢ છોડી જવા ફરજ પાડી હતી. તે એક મોદી હતા છતાં તેને તે સમયના મુત્સદીઓ અને મહારથીઓની કક્ષામાં અવશ્ય મૂકી શકાય. તેણે એક વિચિત્ર પ્રકૃતિના અને તરંગી રાજકર્તાને ખુશી રાખી, પ્રબળ વિરોધની વચ્ચે રાજતંત્ર ચલાવ્યું તે અવશ્ય નોંધપાત્ર બને છે. અમરેલીને ઘરે
દીવાન રણછોડજી તથા રઘુનાથજી ઝાલાવાડમાં જોરતલબી વસૂલ કરતા હતા ત્યારે ઈ. સ. ૧૮૦૨માં ગાયકવાડના સેનાધ્યક્ષ શિવરામ ભાઉ ગાર્દીએ તેના અધિકારને પડકાર કર્યો અને બંને વચ્ચે સશસ્ત્ર ઘર્ષણ થાય તેવા તેવા સંજોગે ઉપસ્થિત થયા પરંતુ આ ભાઈઓની કુનેહ અને શકિતના કારણે સમાધાન થઈ ગયું. દરમ્યાન મુકુંદરાવ ગાયકવાડે વડોદરા સરકાર સામે બંડ કરી અમરેલીને કિલે સ્વાધીન કર્યો અને વસાવડના દેશાઈઓને કેદ કરી લીધા. રણછોડજીને નવાબે તેઓને મુકત કરાવવા માટે અમરેલી ઉપર ચડવા આજ્ઞા મોકલતાં તેણે અમરેલીને ઘેલું. આઠ દિવસના સંગ્રામ પછી અમરેલી પડયું. દેશાઈઓને દીવાને મુક્ત કર્યા પણ તેની પાસે નવાબની જોરતલબી કબૂલ કરવી. વંથળીને ઘેરે | ગાયકવાડને દીવાન બાબાજી ઈ. સ. ૧૮૦૪માં વંથળી ઉપર ચડી આવ્યો અને વંથળી ઘેરી લીધું. વંથળીના ઈજારદાર રૂદ્રજી ઝાલા પાસેથી નવાબે કબજે લઈ ગુલાબખાં નામના એક યુવાનને ઈજારે આપેલું. બાબાજી સામે થવાની શકિત ન હતી તેથી તેણે નવાબની મદદ માગી. નવાબે દીવાન રઘુનાથજીને મદદ મેકલવા કહ્યું પરંતુ વંથળી તાલુકે નવાબને અંગત હતો અને વિ. સં. ૧૮૫૯ની મુલગીરીના હિસાબમાં દીવાન તથા નવાબને મન દુ:ખ થયેલું. રાજય પણ બંને વચ્ચે વહેચાઈ ગયેલું. પારણ, વેરાવળ, વંથળી તથા માળિયા નવાબનાં હતાં અને બીજા તાલુકાઓની ઊપજ દીવાન લેતા હતા. વંથળી નવાબનું હતું તેથી રઘુનાથજીએ નવાબને જવાબ આપ્યો કે તેની પાસે માણસે નથી અને રણછોડજી મુકગીરીમાં છે. નવાબે તેથી તેના હજૂરીએ આજમબેગ, જમીયતખાં, જુહુરખાં, ફાજલ વગેરેને જવા આજ્ઞા આપી પરંતુ વેરાવળના ઘેરામાં ગયેલા દલખાં ચેલાને નવાબે કાઢી મૂકેલે તેથી કેઈ ગયા નહિ. અંત નવાબે તેના ખાનગી કારભારી કહાનદાસ તાપીદાસ વૈશ્નવને મોકલ્યા. તેણે એક માસ પર્યત લડાઈ ચલાવી સમાધાન