________________
બાબી વંશ-પૂર્વાર્ધઃ ૧૬૩ શેઠ વધુ સમય રહી શકે એમ હતું નહિ. તેથી “મહેતા કેવળ ખૂય તથા ઉમિયાશંકર દેશાઈ તથા મોતીરામ કાળિદાસ” વગેરેએ નવાબને રઘુનાથજીને તેડી લાવવા સલાહ આપી. તેમને તેડવા માટે જમીયતખાન સરવાણી, હયાતખાન બલોચ, મૂળચંદ અમરજી ઝાલા, ઊંમયાશંકર દેશાઈ વગેરે ગયા. તેઓ એવી શર્ત પણ લઈ ગયા કે જે રઘુનાથજી આવે તે “મહેતા ત્રિકમદાસના વંશનું છોકરું એક ગામમાં રહેવા ન પામે તથા મહેતા સેવકરામ વૈદ, સેવકરામ જથ્થળ તથા રાજારામ ઝાલા તથા દુલેરાય તથા ગજરાજગર તથા કાનદાસ ગયાની શર્ત દીવાન રઘુનાથજીને નવાબના પ્રતિનિધિઓ મળ્યા. તે વાણિયા કહાનદાસ, નાગર કહાનદાસ,* આજમબેગ ચેલા વગેરેની ઈચ્છાથી વાકેફ હતા છતાં સંનિષ્ઠ રીતે ક્ષમા માગવામાં આવી છે અને પિતાને ગમે કે ન ગમે છતાં તેના જૂના માલિકની ઈચ્છાને માન આપવું જોઈએ તેમ માની તે (રઘુનાથજી) જૂનાગઢ ગયા. કલ્યાણશેઠને બળ
બાંટવા ભાગદાર મુખારખાન બાબીના પુત્રની વિધવા તથા રૂસ્તમખાનની પુત્રી લાડડી બીબી સાથે નવાબે નિકાહ પઢવાને નિર્ણય કર્યો અને તેના માટે પ્રવૃત્તિ શરૂ કરી પરંતુ તે મુખ્તારખાનને પસંદ પડી નહિ તેથી તેણે જૂનાગઢ સામે યુદ્ધ કરવા કમર કસી. આ કાર્યમાં કલ્યાણ શેઠે તેને સહાય કરવા વચન આપ્યું, અને પિતે પણ તૈયારી કરી, દરમ્યાન દીવાન રઘુનાથજી પાછા દીવાનપદે આવે છે તે સમાચાર મળતાં કલ્યાણ શેઠે બળવો કર્યો. તેણે કુતિયાણું કજે કરી લીધું અને પરગણાનાં ગામડાંઓ લૂંટી લીધાં. તેના આ આ કાર્યમાં મુખ્તારખાન બાબીએ સહકાર આપ્યો અને બંનેએ સાથે મળી જૂનાગઢ ઉપર ચડાઈ કરવા તૈયારી કરી.
રઘુનાથજીએ વંથળી મુકામ રાખી બાંટવા તથા કુતિયાણા ઉપર ચડવા પ્રવૃત્તિ કરી ત્યાં રણછોડજી પોરબંદર રાણાની નોકરીમાં હતા તેને આજ્ઞા
1 શ્રી કહાનદાસ તાપીદાસનું આત્મચરિત્ર, સંપાદન-શં, હ. દેસાઈ 2 તારીખે રડ, ભાષાંતર-શં. હ. દેસાઈ 3 શ્રી કહાનદાસ તાપીદાસનું આત્મચરિત્ર, સંપાદન-શું. હ. દેસાઈ 4 શ્રી કહાનદાસ તાપીદાસ, ખાનગી કારભારી હતા તેથી તેને રહેવા દીધા હતા. 5 તારીખે સેરઠ, ભાષાંતર-શં. હ. દેશાઈ. 6 તારીખે સેરઠ, ભાષાંતર-શં, હ. દેસાઈ