________________
૧૬૨ : જૂનાગઢ અને ગિરનાર
નવાબની સ્થિતિ વિષમ થઈ ગઈ. તેનું સૈન્ય એ વિમાગેામાં વડે ચાઈ ગયું હતું અને તેને ક્રાઈ મદદ કરે તેમ હતું નહિ તેથી લાચાર થઈ તેણે ખાસ દૂતાને જામનગર મેાકલી દીવાન રઘુનાથજીને મદદ લઈને આવવા આજીજી કરી. રઘુનાથજી પોતે ન આવતાં તેણે રણુઝેડજીને મેકલ્યા અને તેણે વંથળીને ઘેરા ધાલ્યા. માધુરાયે સમય અને સેનાનીને ઓળખી જઈ યુદ્ધ ન આપતાં દડ આપ્યા અને મુકિત મેળવી ત્યાંથી ગાંડલ ચાલ્યા ગયા.
માધુરાય ગાંડલથી વડોદરાના સેનાપતિ બાબાજીની સાથે વડાદરા ગયા અને ત્યાંથી ગ્વાલિયરના મહા શિદેની સેવામાં જઈ તેના કૃપાપાત્ર થઈ ગયા. મહાદજીએ તેને દિલ્હી દરબારમાં તેના વકીલ તરીકે ઈ. સ. ૧૭૯૫માં મેાકલ્યા, જ્યાં તેણે .સમસ્ત ભારતમાં ગૌવધના પ્રતિબ`ધ કરતું શાહી ફરમાન મેળવ્યુ.
માઘુરાય દિલ્હી દરબારમાં એક અગત્યના હદ્દ ભાગવે છે એમ જ્યારે નવાબને જણાવ્યું ત્યારે તે કદી ચડી આવે તા તે ખીકે તેને જાગીર આપી માધુરાયને પુત્ર ન હૈ.વાથી તેના મૃત્યુ પછી તે જાગીર તેના દાહિત્ર કેશવલાલને મળી.,
બહાદરખાનના જન્મ
ઈ. સ. ૧૭૯પમાં શાહજાદા બહાદરખાનના જન્મ થયા. જામનગરની મદદ
માધુરાયનું પાત્ર જૂનાગઢના રાજદ્વારી તખ્તા ઉપરથી અદૃશ્ય થતાં કલ્યાણ શેઠ સવ સત્તાધીશ થઈ પડયા. ઇસ. ૧૭૯૬માં જમાદાર ફત્તેહમામદ નાતીયાર કચ્છમાંથી જામનગર ઉપર માઢું સૈન્ય લઈ ચડી આવ્યા તેથી મેરામણ ખવાસે નવાબની મદદ માગી. નવાબ પોતે, આંટવાના ખાખી મુખ્તારખાન, આજમબેગ ચેલા, જમીયતખાન સરવાણી, જમાલખાન બલેચ, હિરિસંહ સાલકી જેવા સરદાગ તથા માંગરોળના શેખના સૈનિકા, કુતિયાણાના કસ્માતી, કાઠીઓ વગેરેનું સૈન્ય રચી હીંસરા ગામે જામનગરના સૈન્યને જઈ મળ્યા. બન્ને પક્ષોનાં સૈન્યે યુદ્ધ માટે આતુર થયાં. ત્યાં હળવદના રાજસાહેબ ગજસિંહજીના પ્રયાસથી સમાધાન થયુ. અને સૈન્યે પાછાં ફરી ગયાં.
રઘુનાથજી પુન: જૂનાગઢમાં
ઈ. સ. ૧૮૦૦માં મેરામણ ખવાસનું મૃત્યુ થયું ત્યારે રધુનાથજી પ્રેાળ રહેતા હતા. ત્યાંથી જામસાહેબે તેને ખેાલાવી દીવાનગીરી આપી જૂનાગઢમાં કલ્યાણુ