SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-પૂર્વાર્ધઃ ૧૬૧ ગદડ ખવડ ઉપર ચડાઇ નવાબના લખલૂટ અંગત ખર્ચને પહોંચી વળવા કલ્યાણ શેઠ આવશ્યક દ્રવ્ય ઉપાર્જિત કરી શકે નહિ તેથી કાંટેલિયાના વનમાં ગુપ્તવાસમાં રહી નવાબને કહેરાવ્યું કે સિપાઈઓના પગાર ચૂકવી શકાય તેમ નથી, ખજાને ખાલી છે માટે ધાંધલપુરના ગોદડ ખવડ ઉપર ચડાઈ કરી તેને સમૃદ્ધ બનાવ લૂંટી આવી પગાર ચૂકવે. નવાબ હામદખાને આ સલાહ સ્વીકારી ધાંધલપુર ઉપર ચડાઈ કરી. ધાંધલપુર કાઠી દરબાર ગોદડ ખવડ એક નાને દરબાર હતે પણ તેણે તથા તેના કાઠીઓએ જૂનાગઢના બળવાન રીન્યને ત્રણ માસ સુધી હંફાવ્યું. નવાબ અંતે પરાજય સ્વીકારી અનેક સૈનિકેના મૃતદેહે અને પિતાની પ્રતિષ્ઠા ધાંધલપુરમાં મૂકી નત મસ્તકે જૂનાગઢ પાછો ફર્યો. નવાબની નિરાશા પરાજ્ય ઉપર પરાજય મેળવી પિતાની પ્રતિષ્ઠા ગુમાવી નવાબે મૂલ્યવાન પ્રદેશ પણ ખેયા. રાજયતંત્રમાં અવ્યવસ્થા સિવાય કાંઈ હતું જ નહિ તેથી તેણે કાલાવાડ મુકામે મેરૂ ખવાસ સાથે રહેતા દીવાન રઘુનાથજીને જાતે જઈને પાછા આવવા સમજાવ્યા પણ રઘુનાથજી આવ્યા નહિ. રાજ ખટપટ કલ્યાણ શેઠ તથા માધુરાય ખુશાલરાયના સંયુકત કારભારનું પરિણામ માત્ર અંધાધૂધીમાં આવ્યું. બન્ને વચ્ચે મતભેદ થયા અને સત્તા પ્રાપ્તિની લાલસા માટે પક્ષે બંધાઈ વૈમનસ્ય વધી ગયું. શનૈ શને આ વિરોધ એ કક્ષાએ પહોંચ્યો કે બને દીવાનેએ એક બીજા સામે સૈન્યો સજ્યાં. કલ્યાણ શેઠ સ્વગૃહ તજીને, સૈયદ ગુલામ મોહુદ્દીનના મકાનમાં આશ્રય લઈ રહ્યો અને પરિણામે પિતાને સફળતા નહિ મળે તેમ માધુરાયને લાગતાં, તેના મદદગાર જમાદાર અહમદ કાર, શેખ સૈદ, નાસર યમની અને મુસા મુહરિઝ દ્વારા વંથળી દરવાજા પાસેની દીવાલ નીચે ભેંય ખોદાવી તેમાંથી રાતોરાત નાસી ગયો અને વંથળીને કિલે બંધ કરી તેમાં બેસી ગયો. 1 નહોતીને તે નવી કરી ગઢ જનાને ગાળ બાબી અલ બાળ ખીજડીયો ગદડ ખવડ નરગોદડને નવાબ લડીયા ત્રણ મહિના લગી પર્વત મોટા પહાડ ક્લીયા નાને ઘબે (સાહિત્ય) જ ગિ.-૨૧
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy