________________
૧૬૦ : જૂનાગઢ અને ગિરનાર દીવાને
રાજ્ય કાર્યભારમાં ક૯યાણ શેઠ જેટલી જ સત્તા માધવરાય પણ ભોગવતે. એક મ્યાનમાં બે તલવાર રહેતી નથી તેમ ઈ. સ. ૧૭૮૫માં બંને વચ્ચે લેણદેણને વાંધો પડે તેથી કલ્યાણશેઠ કામ મૂકી દઈ મિયાં ગુલામ હુસેનની ડેલીએ ત્રણ માસ સુધી આશ્રય લઈ છુપાઈ રહ્યો અને માધવરાયની સલાહથી નવાબે મૂળચંદ મહેતાને દીવાનગીરી આપી.. અંગ્રેજ ચડાઈ
આ વાંધે ચાલતું હતું ત્યાં જુનાગઢના ચાંચિયાઓએ સુરત જતાં અંગ્રેજોનાં વહાણો લૂંટયાં તેથી અંગ્રેજી નકારૌજે દેલવાડા પાસેના નવાબંદરના કાંઠે તોપમારો કર્યો અને “અરમાન નાગરી ધરતી ઉપર અંગ્રેજ સૈનિકે ઊતર્યા. ઉના થાણદાર જમીયતખાં ગીરમાર્ગે ભાગીને જુનાગઢ આવ્યો તેથી નારાજ થઈ નવાબે તેને બરતરફ કર્યો અને પિતાના ખાનગી કારભારી કહાનદાસ તાપીદાસ વૈશ્નવને સો ઘેડેસવારો તથા બસે દિલ આપી ઉના મોકલ્યા. તેણે ઉને જઈને સરકાર મરજી પ્રમાણે ઉકેલ અંગ્રેજને કીધો. કલ્યાણ શેઠ ફરીથી સત્તા ઉપર
તે પછી કલ્યાણ શેઠ પાછો સત્તામાં આવ્યો અને માધવરાય નાસીને વંથળીને કાજે કરી બેઠો અને છ માસ પછી ઈ. સ. ૧૭૯૬માં ત્રણ લાખ કરી પરસોતમ વાસણુજી દ્વારા કલ્યાણ પાસેથી લઈ વંથળીને કાજે સોં. મરાઠા ચડાઈ
ઈસ. ૧૭૯૬માં આબા સેલરકર જૂનાગઢ ઉપર ચડી આવ્યો. તેના સેનાનીઓ બેમલખાં તથા બાપુમલખાએ પ્રજા ઉપર અકથ્ય જુલમ ગુજારી મોટી મોટી રકમ વસૂલ કરી. નવાબે તેને મોટી ખણું આપી પાછા કાઢો.
તે પછી ઈ. સ. ૧૭૯૯માં ગાયકવાડના જમાદાર હામીદના પુત્ર જમાદાર અમીને તેના પિતાના ઘાતને બદલો લેવા મજેવડી ઘેરી તેને કિલે જમીનદસ્ત કર્યો અને ત્યાંથી જૂનાગઢ ઉપર કૂચ કરી પણ નવાબે ત્રણ ગણી ખંડણી મોકલી, નજરાણું આપી તેને પાછો કાઢો.
૧-૨-૩ શ્રી કહાનદાસ તાપીદાસનું આગમચરિત્ર, સંપાદન: શં, હ. દેશાઈ તથા ગાયકવાડ
એફ બરડા, પુ. ૭મું.