________________
૧૫૬ જૂનાગઢ અને ગિરનાર બેલાવ્યા હતા. આ કાગળ તેઓએ નવાબ પાસે રજૂ કરતાં તેણે પ્રમાશંકરને ઘાત કરવા આજ્ઞા આપી.”
નવાબે નાગરવાડે લૂંટી લીધા, નાગને પકડી ઉપરકેટમાં કેદ કર્યા. પ્રભાશંકરને ઉપરકેટમાં લઈ જઈ વિ. સં. ૧૮૪૯માં પિષ સુદ એકમ કે વદ એકમની રાત્રે તેનું માથું કાપી નાખ્યું અને તેની સંપત્તિ લૂંટી લીધી. થોડા દિવસમાં દયાળજીને પણ ઘાત કર્યો. - દીવાન કુટુંબનાં સંપ અને શિસ્ત જોતાં દીવાન રઘુનાથજીએ મોરારજીને મારી નાખવાની સલાહ નવાબને આપી હોવાનું માની શકાય એવું નથી. રણછોડજીને બળવે - આ વખતે રણછોડજી ચોરવાડ હતા અને અનંતજી ઉના હતા. તેઓ બંનેએ સાથે મળી જઈ ઘોઘા,' સરસિયા, માળિયા, કાગવદર અને આદરીના કિલાએ લૂંટી લીધા,
દીવાન રણછોડજી તારીખે સેરમાં નોંધે છે કે મેં મહિલાઓનું શેરગઢ લૂંટયું અને પુષ્કળ દ્રવ્ય મેળવ્યું. કેડીનારની લડાઈમા ભાઈ અનંતજીએ નવાબસાહેબના કેટલાક જમાદારોને પકડયા અને ત્યાંથી જ તેમને કાઢી મૂકયા (કે મારી નાખ્યા ?) પણ એક સરદાર અને વાણુઓ માધવજી કે જે સૌન્યને અધ્યક્ષ હતા તેણે પાણી વગરના કૂવામાં પડી તેના જીવનના પાણીનું રક્ષણ કર્યું.'
પ્રભાસપાટણને કિલો માંગરોળને કાઝી બદરૂદીન દબાવી બેઠા હતા. દિવાન અમરજીના બનેવી દેશાઈએ રણછોડજીને પ્રાચી મુકામે જઈને સમજાવ્યા કે નવાબ સામે વેર લેવા હિન્દુ જમીનદારોને અને નિર્દોષ પ્રજાને લૂંટવાનું કાર્ય તેમના શોભાસ્પદ નથી. તેમણે તેમની શકિત સ્વતંત્ર રાજ્ય પ્રાપ્ત કરવા માટે કેન્દ્રિત કરવી જોઈએ અને હિદુ જમીનદારને ટકે મેળવ જોઈએ. જીભાઈ દેસાઈએ તેમને એમ પણ કહ્યું કે જો તેઓ આવે છે પ્રભાસપાટણને કિલ્લે તેમને દેશાઈઓ એપાવી આપે. રણછોડજી આ સલાહ સ્વીકારી પ્રભાસપાટણ ઉપર ચડ્યા અને દેશાઈઓની સહાયથી પ્રભાસપાટણ સ્વાધીન કર્યું. પ્રભાસને કિલ્લે કજે થયા પછી કાઝીઓને વગર હરકત જવા દેવા એવી શત કરવામાં આવેલી પરંતુ તેઓને વિચાર પાછળથી ફરી જતાં કાઝી મહમૂદમિયાંએ જવાની આનાકાની કરી તેથી ભાઈને પુત્ર
1 તારીખે સેરઠમાં ધાને ઉલ્લેખ છે તે ઘેલા હશે.