________________
બાબી વંશ-પૂર્વાર્ધઃ ૧૫૫
નીકળ્યા. એ સાથે ગાયકવાડના જમાદાર હામીદે વડોદરાની જમા લેવા જૂનાગઢને પ્રદેશ લૂંટવાનું શરૂ કરી દીધું. જમાદારે જૂનાગઢ ઉપર હલે કર્યો પણ શીબંદીએ તેને મારી નાખ્યો.” રઘુનાથજી કેદ
પિતાના સ્વામી નવાબ હામદખાનનાં હિત અને સેવામાં રાણું સરતાનજી, રાયજાદા મકાજી, દાગોજી, આરબો વગેરેને પરાજિત કરનાર દીવાન રઘુનાથજીને ઈ. સ. ૧૭૮૩માં નવાબે કેદ કર્યા. તેની સાથે મોરારજી, પ્રભાશંકર, દયાળજી તથા અન્ય નાગરને પણ કારાવાસમાં પૂરી દીધા. તેમનાં ઘર લૂંટી લીધાં અને તેમના ખજાના ખાલસા કર્યા. આ કૃત્ય કરવા માટે નવાબને કલ્યાણ શેઠ તથા મધુરાયા ખુશાલરાયે સલાહ આપેલી તેમ દીવાન રણછોડજી નેધે છે. પરંતુ કર્નલ વેકર તિના રિપોર્ટમાં કહે છે કે “દીવાન રઘુનાથજીએ નવાબને એવી દરખાસ્ત કરી કે પ્રભાશંકર, દયાળજી તથા મોરારજીને મારી નાખવામાં આવે તે જ તે નવાબને ફાયદો કરાવી આપી શકે તેમ નિરંકુશ વહીવટ કરી શકે તેથી નવાબે પ્રભાશંકર તથા દયાળજીને વિશ્વાસમાં લીધા. પ્રભાશંકરે નવાબને મેરારજીને દીવાનગીરી આપવા દરખાસ્ત કરી તે પછી વિ. સં. ૧૮૦૯ના માગશર વદી ૮ના રોજ નાગરવાડા પાસે આવેલી એક મસિજદમાં નવાબે ૪૦૦ માણસે એકત્ર કરી ધાર્મિક વિધિ કરવાની છે એ મિષે પોતે પણ આવ્યા. પ્રભાશંકર બીમાર હતા તેથી ઘેર રહ્યા અને દયાળજી રાજમહેલમાં રહ્યા. નવાબે કમાલ ચેલાને રઘુનાથજીને બેલાવવા મોકલ્યો. રઘુનાથજી મસ્જિદમાં આવતાં તેને પકડી લેવામાં આવ્યા. પ્રભાશંકરથી પરિચિત એવા એક છોકરાને પ્રભાશંકરને ઘેર મોકલ્યો. પણ તે ઊડી શકે તેમ ન હોવાથી તે છોકરાએ તેને છૂરો કયો પ્રભાશંકરનાં પત્ની વચ્ચે પડતાં તેને પણ ઘાયલ કરી તે ભાગી છૂટ્યો. દયાળજીને રાજમહેલમાં કેદ કરી લીધે. પ્રભાશંકરને થોડા દિવસ પછી ઘા રૂઝાતાં માધવરાયના આગ્રહથી તે કલ્યાણ શેઠને ઘેર રહેવા ગયો અને તેણે તેની સલામતી માટે સેગન ખાધા.” આ નીતિહીન માણસોએ આ પવિત્ર બંધન તેડતાં આંચકે આ નહિ અને પિતાનું વિશ્વાસઘાતી કૃત્ય છુપાવવા પ્રભાશંકરના નામને એક બનાવટી પત્ર ઊભો કર્યો. આ પત્રમાં આજુબાજુના તાલુકદારોને જૂનાગઢ ઉપર ચડાઈ કરવા
1 જમાદાર હામીદ શિકાર કરવા ગયો ત્યાં મૃત્યુ પામે તેવી વાત પણ પ્રચલિત છે પણ
તેના મૃત્યુને બદલો તેને પુત્ર અમીન લેવા આવેલો તેથી તેનું મૃત્યુ યુદ્ધમાં જ થયું હશે.