________________
૧૫૪ ઃ જૂનાગઢ અને ગિરનાર
રઘુનાથજીએ વેરાવળ સર કર્યું પણ તેનાથી સંતોષ ન પામતાં તેણે પોરબંદરના પ્રદેશો ઉપર આક્રમણ કરી ગામડાંઓ લૂંટયાં તથા ઉજજડ કર્યા. દીવાન ગોવિંદજીએ કંડોરણાને ઘેરો ઘાલ્યો અને નવાબનું સૈન્ય પોરબંદર ઉપર આવશે તે શું થશે તે વિચારે ઈ સ. ૧૭૮૦માં રાણા સરતાનજીએ મોટો નજરાણે આપી નવાબના સૈન્યને પાછું વાળ્યું. નવાબ કેદ
સોરઠમાં આગ અને તલવારનું સામ્રાજ્ય ફેલાવી પાછી ફરેલા - નવાબ પાસે પગારને તકાદે કર્યો અને જયારે નવાબ પગાર ન આપી શકયા ત્યારે સૈનિકોને નિયમિત પગાર મળશે તે માટે જમીન થયેલા જમાદાર ઝુબેદી, સાલેહ બીન અબ્દુલ્લાહ, મહમદ અબુ બકર, હાર્મદ બીન મેસન, હામી નાસર તથા નાજીએ નવાબ હામદખાનને રંગમહેલમાં કેદ કરી તેને પાણી તથા ખોરાક આપવાનું બંધ કર્યું.
નવાબને અસહ્ય ત્રાસ થયો પણ તે કેટલા વફાદાર મુત્સદ્દીઓની મદદથી નાસી છૂટયા અને ખાંટ તથા સંધી લેકેનું સૈન્ય ઊભું કરી આર ઉપર હુમલો કર્યો. જૂનાગઢની બજારમાં ઉભય પક્ષો વચ્ચે ધિંગાણું થયું તેમાં દીવાન રણછોડજીના પેશકાર ઉત્તમરામ ઘેડાદ્રા માર્યા ગયા. આરબે હાર્યા અને જૂનાગઢમાંથી નીકળી ગયા. તેઓએ ચોરવાડ જીતી આપ્યું હતું તેથી ચરવાહને કબજે કરી પરગણામાં લૂંટફાટ શરૂ કરી. દીવાન રઘુનાથજીએ આરબને પારપત કરવા રણછોડજીને તથા શામળજી માંકડને ચોરવાડ રવાના કર્યા '
આરબોએ ચોરવાડ કેન્દ્ર રાખી, વેરાવળ અને પ્રભાસપાટણ પરગણુનાં ગામડાંઓ લૂંટવા માંડયાં પણ રણછેડછએ તેમની પાછળ પડી શરણ થવાની તમને ફરજ પાડી. દીવાન ગેવિદજી
. સ. ૧૭૮૦માં દીવાન ગેવિંદજી ગુજરી ગયા. પેશકશી
ઈ. સ. ૧૭૮૧માં ભયંકર દુષ્કાળ પડ્યો અને પ્રજા ભૂખમરે વેઠી જીવન ટકાવી રાખવા મથતી હતી ત્યારે રધુનાથજી તથા મોરારજી પેશકશી ઉઘરાવવા
1 જુઓ સૌરાષ્ટ્રના ઈતિહાસની વાર્તાઓ, ભા. ૧.