________________
બાબી વંશ-પૂર્વાર્ધ ઃ ૧૫૭
ચેરવાડને ઘેરે
આ સમાચાર સાંભળી રઘુનાથજી ચોરવાડ ઉપર ચડયા. ગોંડલના રાજપૂત ઠાકોર કુંભાજી પણ રાયજાદાને વિનાશ સજવા જતાં તેમાં સામેલ થયા. દીવાન રણછોડજી તારીખે સેરઠમાં નોંધે છે તેમ આ સત્યે “ચોરવાડના બગીચાઓને એવા ઉજડ કર્યા છે તેમાં ગાયો અને ગધેડાઓ પ્રખ્યાત “પાનનાં પાંદડાંઓ ચરવા લાગ્યાં અને લેકે નાસીને (જીવ બચાવવા) કેળ નીચે ઘસડાઈને આશ્રય લઈ રહ્યાં. ઇ. સ. ૧૭૮૯માં વિક્રમના બેસતા વર્ષે ચોરવાડના કિલ્લા ઉપર હલે કર્યો તેમાં શામળજી માંકડ અને ઉમર ખખરે બહુ પરાક્રમ બતાવ્યું.", દીવાનજીના પ્રબળ આક્રમણ સામે મોકાજી ટકી શકે નહિ. કિલો પડે અને રણછોડજી સગવં નેધ લે છે તેમ આ દિવસથી ચોરવાડમાં રાયજાદાઓના રાજ્યનું અસ્તિત્વ ભુંસાઈ ગયું.' વેરાવળ લીધું
રઘુનાથજીએ ત્યાંથી વેરાવળ ઉપર ચડાઈ કરી. વેરાવળના કિલ્લામાં ભરાઈ રહેલા જમાદાર રખીયા કરમશાહ, મલેક સુલતાન, યાતા બીન મસૂર, આતાજી પટણી તથા જેઠવા દાઉજીએ આક્રમકેનો સામનો કર્યો. વેરાવળને ઘેરે ચાલતો હતો ત્યાં દુર્લભજી દીવાન જલંધરની બીમારીમાં ગુજરી ગયા તે છતાં દીવાન ભાઈઓએ રાણા સરતાનજીને પરાજય કરવા માટે અવિરત શ્રમ કર્યો. દુર્ગરક્ષક સૈન્યમાં અનુભવી યોદ્ધાઓ હતા અને દીર્ધકાળ ચાલે એટલે પુરવઠા હતા તેથી દીવાન રઘુનાથજીએ પણ આતાજી તથા હાસુજીને ખુટવ્યા અને તેમણે સંકેત પ્રમાણે રાત્રીના દુર્ગનાં દ્વાર ખોલી નાખ્યાં. રઘુનાથજી, ગોવિંદજી, પ્રભાશંકર, વસાવડા, શામલજી માંકડ વગેરે નીચે બસો આરબ, સો સંધીઓ, જમાદાર જીયા જખરા અને રૌદ સાલમ સાથે દુર્ગમાં દાખલ થયા. દગાથી પ્રવેશેલા નવાબના સૈન્યને, પોરબંદરના સેનાપતિઓ ઓચિંતા ઝડપાયા હતા છતાં ઉગ્ર પ્રતિકાર કર્યો. તેમાં દાઉજી જેઠવા કામ આવ્યા અને રાણાના સૈનિકે માર્યા ગયા કે નાસી છૂટયા.
1 આ સમયથી એક કહેવત પ્રચલિત થઈ કે,
અકોક દાંડીઓ, મટોક મોઇ, વેરાવળ લેતાં ચોરવાડ ઈ. જ. ગિ–૨૦