SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર : જૂનાગઢ અને ગિરનાર સૈનિકોએ તેના પ્રત્યે દર્શાવેલી વફાદારીથી હામદખાને તેને પાછા કાઢવા કાવાદાવા અને ખટપટના દાવ અજમાવવા શરૂ કર્યા પણ તે કાંઈ કરે તે પહેલાં રઘુનાથજીએ રાજીનામું આપી દઈ નિવૃત્તિ લઈ લીધી. પણ થોડા જ દિવસમાં નવાબને તેની ગેરહાજરી જણાઈ આવી તેથી તેને ઘેર જઈ માફી માગી તેને દીવાનગીરી લેવા સમજાવ્યા. - દીવાન રઘુનાથજીની ગેરહાજરીમાં મંડલ ઠાકર કુંભાજીએ નવાબ પાસે તેણે ધીરેલી ત્રણ લાખ કેરીની ઉઘરાણી કરી અને નવાબ તે આપી શકે તેમ હતું નહિ તેથી તેના બદલામાં ગોંડલ, જેતલસર, મેલી, મજેઠી, લાઠ અને ભીમોરાની જમા માફ કરાવી તથા સરસાઈ, ચાંપરડાનાં ગામડાઓ લખાવી. લીધાં. રાયજાદા દાગોજી જૂનાગઢનું રાજ્ય ગુમાવી કેશોદ ચોરવાડ વગેરે ગામમાં વસતા અને ત્યાં હકૂમત ભેગવતા રહના વંશજે જૂનાગઢની આંખમાં હતા એવામાં કેશોદના દાગજી રાયજાદાએ સૈન્યની જમાવટ કરી બાંટવાનાં ગામડાંઓ લૂટયાં, તેથી બાંટવા. દરબારે એદલખાન અને મુખ્તારખાને દીવાવ રઘુનાથજીની મદદ માગતાં તેણે દીવાન રણછોડજીને કેશોદ ઉપર ચડાઈ કરવા આજ્ઞા કરી. રણછોડજીએ અગતરાયના યુદ્ધમાં રાયજાદાના જમાદાર ઉમર સાલમીનને માર્યો તથા રાયજાદાનું સૈન્ય મવાણે પાછું હઠયું ત્યાં જૂનાગઢના જમાદાર જનમહમદ અને ઉમરે તેના માણસો સાથે તેના ઉપર તૂટી પડી દાગેજીના સૈન્યની મોટી ખુવારી કરી. દાગજીએ લૂંટને માલ પાછો સંપી દંડ ભરવા કબૂલાત આપી. ઇ સ. ૧૭૮૮માં તેણે રાખેલાં સૈન્યને પગાર ચૂક્વવા દીવાન દુર્લભજીએ એક લાખ કેરીમાં કેશોદ વેચી નાખ્યું. વેરાવળને ઘેરે (રાણુ સરતાનજી) માળિયાના યુદ્ધમાં મરાઈ ગયેલા રાયજાદા સંઘજીનું કરજ ભરવા તેના વારસે મેકા વગેરેએ પોરબંદરના રાણા સરતાનજીને ચોરવાડ વેચી નાખી તેને કજે પણ સોંપી દીધે. રાણા સરતાનજીને વેરાવળના પટણી ઈભરામ ખાંછ વગેરે આવી મળ્યા અને રાણાએ તેમને નોકરીમાં રાખી ઈ. સ. ૧૭૮૮માં વેરાવળ ઉપર ચડાઈ કરી. નવાબના થાણાના જમાદાર દિલેરખાન તથા થાણદાર ગુલામી, શરણ થઈ ગયા અને કિલે રાણાને સોંપી દો.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy