SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-પૂર્વાર્ધ ૧૫ ભાથી માન અને આદર પામેલાં. તે પછી જૂનાગઢની સેવામાં જોડાયા. ગુલાલશંકર દીવાન અમરજીના મિત્ર હતા અને તેની સાથે જ માંગળથી આવેલા એમ પણ માનવામાં આવે છે. તેના પુત્ર કુંવરજી દીવાન રણછોડજીના સહધ્યાયીન હતા. એકવાર તેઓ બંને અભ્યાસ કરતા હતા ત્યાં કાલમેર નામને બહારવટીએ ચડી આવતાં તેના સાથેની ઝપાઝપીમાં કુંવરજી મૃત્યુ પામેલા. રઘુનાથજી પાછા જૂનાગઢમાં નવાબના વંથળી લેવાના સર્વે પ્રયત્ન નિષ્ફળ ગયા ત્યારે તેણે જેતપુર જઈ “અનેક વિનવણું કરી રઘુનાથજીને મનાવી. જૂનાગઢ લઈ આવી તેને દીવાનપદે નિયુકત કર્યા નવાબ હામેદખાનનાં લગ્ન દીવાન અમરજીના ખૂનને કારણે મુલતવી રહેલાં નવાબનાં લગ્ન રાધનપુરના નવાબ ગાઝીરૂદ્દીનની કુંવરી કમાલ બન્ને સાથે નિર્ણિત થયાં' પણ નવાબને રાધનપુરના જવાનું સલામતીભરેલું લાગ્યું નહિ તેથી મોરબી મુકામે કમાલને આવે અને ત્યાં નિકાહ પઢવામાં આવે તેમ નકકી થતાં નવાબ દીવાન દુર્લભજીને સાથે લઈ ઈ. સ. ૧૭૮૪માં મોરબી ગયા. લગ્ન પ્રસંગે દિવાન રઘુનાથજીએ હાજરી આપી. , , , , , આ પ્રસંગે મોરબી રાજયની સેવામાં જૂનાગઢના કહાનદાસ તાપીદાસ, વૈશ્નવ હતા તેની શકિત જોઈ નવાબે તેને પિતાના અંગત મંત્રી તરીકે જૂનાગઢની નેકરીમાં આમંત્રણ આપ્યું. : રઘુનાથજીના વિજે રઘુનાથજી મોરબીથી આવી તરત જ વંથળી લીધું અને ત્યાંથી સુત્રાપાડા જઈ પટણી ને કાઢી રણછોડજીને ત્યાંના મુત્સદ્દી નીમ્યા. રઘુનાથજીનું રાજીનામું રઘુનાથજીના પાછા આવ્યા પછી તેણે કરેલા ઉત્તરોત્તર વિજેથી અને 1 શ્રી કહાનદાસ તાપીદાસના આત્મચસ્ત્રિ ઉપરથી જણાય છે કે આ લગ્ન દીવાન રઘુનાથજી જેતપુર ગયા પહેલાં ઈ. સ. ૧૮૪માં થયેલાં. દીવાનજી તે પછી ગયા. : 2 કહાનદાસ તે પછી થોડા વખતે મોરબીથી છૂટા થઈ આવ્યા અને બક્ષીપદે નિમાયા.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy