________________
. બાબી વંશ-પૂર્વાધ : ૧૪૯ દુર્લભજીની હત્યા કરવા હુકમ કર્યો પરંતુ આ બંને છટકી ગયા.
કેપે ભરાયેલા અને નિરાશ થયેલા નવાબ હામદખાને દીવાન ગોવિંદજીને પરહેજ કરવા પ્રયત્ન કર્યો. તેણે તેના આરબ જમાદારોને ફોડી નાખ્યા પણ ગોવિંદજીએ હિમ્મત ન હારતાં, ઉપરકેટમાં આશ્રય લઈ રહેલા નવાબ વિરોધી જમાદાર, શેખ મહમદ બેદી સાલેહ અબ્દલાહ વગેરેની કુમક મેળવી નવાબના સૈન્ય સામે મોરચો માંડે. કેટલાક સમય લડાઈ ચાલ્યા કરી પણ અંતે કંટાળીને ગેવિંદજી જેતપુર ચાલ્યા ગયા.
દરમ્યાન રણછોડજીથી સૂત્રાપાડામાં રહી શકાયું નહિ અને દુર્લભજી ઉનામાં વધુ વાર રહી શકે એમ પણ હતું નહિ તેથી રણછોડજી તેની મદદ ઉના ગયા. નવાબે આ સમાચાર સાંભળી શેખ મહમૂદ માંગળીને ઉના ઉપર ચડાઈ કરવા મોકલ્યા. શેખ મહમૂદે ગમે તેમ કરી ઉના અને બાબરિયાવાડ ઉપર જૂનાગઢનો ઝંડો ફરકાવનાર દીવાનકુટુંબના વિશ્વાસ અને મિત્ર પ્રભાશંકરને ફેડી નાખ્યો અને તેણે દીવાન દુર્લભજીના જમાદાર રાયબ, પુના, જેસા તથા રહીમને ઉશ્કેરી દુર્લભજીને ઉના બહાર જવા ફરજ પાડી, દુર્લભજી દેલવાડા ગયા, ત્યાં તેના પુત્ર મોરારજીને મૂકી તે જેતપુર ચાલ્યા ગયા.
આમ આખું દીવાનકુટુંબ જૂનાગઢ છેડી જેતપુરમાં જઈ વસ્યું. સૈનિકનું બડે
દીવાન ભાઈઓ જેતપુર ચાલ્યા ગયા અને પ્રભાશંકર વગેરે છૂટા થઈ ગયા એટલે કોઈ અંકુશ રાખી શકે એમ નથી એમ માની ઈ. સ. ૧૮૬માં આરબ અને સીધી જમાદારોએ ચડત પગાર ચૂકવી દેવા નવાબને તાકીદ કરી બંડ પે કાર્યું. તેઓએ વંથળીને કેજો કરી લીધે તથા જમાદાર કરમશહ અને ઓસ્માણે રંગમહેલને કન્સે કરી નવાબને કેદ કરી લીધો. નવાબે મોટી લાલચ આપી આરબોને ફેડયા અને તેની સૂચનાથી ઈદના તહેવારની સવારીમાં આરએ સીંધી જમાદાર ગુલખાંનું ખૂન કર્યું તેથી કરમશાહ અને ઓસ્માણ નાસીને વંથળીમાં ભરાઈ ગયા.
૧ પ્રભાશંકર વસાવડા એ સમયમાં એક શક્તિશાળી સિહસાલાર હતા. દીવાન અમર
છની અને તે પછી રઘુનાથજીની સાથે રહી લડેલા. દીવાન રણછોડ તારીખે સોરઠમાં લખે છે કે તેનાથી દીવના પોર્ટુગીઝ અને જાફરાબાદના સીદીઓ પણડતા. પીઓ. શેખે, બાબરિયા વગેરે તેની સામે થવાની હિમ્મત પણ કરી શક્તા નહિ.