SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-પૂર્વાર્ધ : ૧૪૭ નગર, રિબંદર, ધ્રાંગધ્રા, ગોંડલ અને મોરબી જેવાં મોટાં રાજને પણ સમાવેશ થતા. બીજા તાલુકાઓને તે નાના હેવાથી કે મહેરબાનીથી આ ખંડણીમાંથી મુકિત આપવામાં આવેલી. જોરતલબીને અર્થ બળપૂર્વક વસૂલ કરવામાં આવતી રકમ એ થ ય છે. આ હક્ક મુગલ સમ્રાટ હતા અને શેરખાન બાબી અને તેના વારસો શહેનશાહના પ્રતિનિધિઓ છે એ સિદ્ધાંત દીવાન અમરજીએ આ ધારો” બેસાડ. | મુંબઈ સરકારે તા. ૧૯-૭-૧૮૭૨ને એક ઠરાવમાં જોરતલબીની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે બ્રિટિશ હકૂમત કાઠિયાવાડમાં સ્થિર થઈ તે પૂર્વે જૂનાગઢ રાજ્ય, અન્ય રાજ્યો અને જમીનદારો પાસેથી બળપૂર્વક જે રકમ લેવાને હક્ક સ્થાપિત કર્યો હતો અને જેને ઈ. સ. ૧૮૧૬માં બ્રિટિશ સત્તાએ સ્વીકાર કર્યો હતો તે રકમ તે જોરતલબી. - આ રકમ ઈ. સ. ૧૮૨૧થી ઈસ્ટ ઈન્ડિયા કંપની એ વસૂલ કરી આપવાની જવાબદારી સ્વીકારી હતી અને ઈ. સ. ૧૯૪૭માં નવાબનું રાજય સદાને માટે નષ્ટ થયું ત્યાં સુધી તે રકમ સાર્વભૌમ સત્તા વસૂલ કરી જૂનાગઢને આપતી.' નવાબ કેદ ગાયકવાડનું સૈન્ય દીવાન રણછોડજીની વિનંતીથી જેવું પાછું ગયું કે તરત જ નવાબના આરબ જમાદાર રૌયદ સાલમ, અબ્દુલ્લાહ બીન હામેદ, અહમદ ઉમર શેખ મહમદ ઝુબેદી અને અન્ય આરબ જમાદારોએ વંથળી દરવાજે છાવણી નાખી પડેલા નવાબ હામેદખાનના ખાસ તંબુ ફરતી ચોકી મૂકી, તેમના ચડત પગાર ચુકાવી દેવા તાકીદ કરી. નવાબે ચાર માસ સુધી મુકત થવા મથામણ કરી પણ જ્યારે સર્વે પ્રયાસો નિષ્ફળ ગયા ત્યારે તેણે આરબને કહેવરાવ્યું કે રાજમાતા સરદારબખ્ત તેને ઘણા વખતથી મળ્યાં નથી તે મળવા આવે છે તેની ઈજજત રાખી તેને મહેરબાની કરી અંદર આવવા દેજે. આરબોએ રાજમાતાની અદબ જાળવીને તેના પડદાબંધ મેનાને અંદર જવા દીધો. નવાબે તેના હઝુરી રહેમતખાનને પિતાના પલંગે સુવાડી પતિ 1 એજન્સીએ પ્રત્યેક રાજ્ય પાસેથી લેવાતી જોરતલબીની રકમ મુકરર કરી ત્યારે અમરેલી વિભાગ સહિત સૌરાષ્ટ્રનાં ૧૩૪ નાનાં મોટાં રાજ્યો પાસેથી વાર્ષિક રૂ. ૯૨,૪૨૧ જેટલી થતી.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy