________________
૧૪૬ઃ જૂનાગઢ અને ગિરનાર તેના જીવનમાંથી દેખાય છે. ગુપ્ત અને અઘટિત રીતે અમરજીનું ખૂન કર્યું તે માટે તે પોતે જ જવાબદાર છે. આ પ્રસંગ પછીથી નવાબની કારકિર્દીમાં ગુના અને હલકાઈ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. માત્ર થોડી પળોના આવેશમાં આવી જઈ તેણે જે કુર અને ઘાતકી કૃત્યો કર્યા છે તેનું વર્ણન પણ નકામું અને કંટાળાજનક છે.
નવાબ મહાબતખાન પહેલાના મૃત્યુ સમયે હામદખાન સગીર હતા અને તેને રાજતંત્રની તાલીમ આપવાની અને શત્રુઓથી રક્ષણ કરવાની દિવાન અમરજીએ જવાબદારી સ્વીકારી લીધેલી. પોતાના પુત્રનું હિત પિતા સાચવે અને તેને તાલીમ આપે તેમ તેણે નવાબને જીવનના પ્રત્યેક પ્રસંગ માટે શિક્ષણ આપેલું. સગીર અવસ્થા પૂરી કર્યા પછી તે નવાબ બને અને પછી કુમાર જીવનને લહાવ લઈ શકે નહિ તે દૃષ્ટિએ તેણે જુદા જુદા ઉત્સવે છે તેમાં ભાગ લેવા માટે આયોજન કરેલું. દીવાન અમરજીએ પોતે નવાબને હેળીના ઉત્સવમાં હોળી રમાડી હતી. સંગીત નૃત્ય આદિ વિષમાં યુદ્ધમાં વપરાતાં શસ્ત્રોના ઉપયોગમાં, લડાઈઓ લડવાના અને ન્યાય આપવાના કાર્યોમાં તેમણે જાતે તેને રિક્ષણ આપેલું. .
સૈન્ય અમરજીને આધીન હતું. પ્રજા અને સૌરાષ્ટ્રના અન્ય રાજપતિઓ તેની વીરતા અને યુદ્ધકૌશલ્યથી પરિચિત હતા. વેરી પણ જેના ઘાવ વખાણે
એવી લોકપ્રિયતા મેળવી ચૂકેલા, તે સમયની પતિત રાજનીતિને બદલે પવિ. ત્રતા, એકવચન અને સિદ્ધાંત ઉપર જીવતા વીરપુરુષે જે ધાયું" હેત તે હમેદખાનને ઘાત કરીને કે તેને ગાદીએથી ઉઠાડી મૂકી સરકનું સિંહાસન
સ્વાધીન કર્યું હતું પણ તેની નસોમાં, નિમકહલાલી, વફાદારી અને સ્વામીભકિતની વેદીમાં બલિદાન આપી ચુકેલા વીર પૂર્વજોનું લેહી વહેતું હતું. અમરજીએ પણ આ પરંપરામાં પિતાના પ્રાણની આહુતિ આપી. જોરતલબી
દીવાન અમરજીએ તેનાં પરાક્રમ, અને પુરુષાર્થથી, સૌરાષ્ટ્રનાં રાજ્ય પાસેથી જોરતલબી નામની ખંડણી લેવાને જુનાગઢ રાજયને અધિકાર
સ્થાપિત કર્યો. સૌરાષ્ટ્રનાં ૧૯ રાજ્યો અને તાલુકાઓ પૈકીનાં ૧૩૪ રાજ્ય પાસેથી જોરતલબી વસુલ લેવામાં આવતી. આ રાજ્યોમાં નવાનગર, ભાવ
1 કર્નલ વોકરને રિપોર્ટ : ભાષાંતર શ્રી ભ, સ, છત્રપતિ 2 તારીખે સોરઠ (ફારસી) : દીવાન રણછોડ, ભાષાંતર-શં, હ. દેશાઈ