________________
બાબી વંશ-પૂર્વાર્ધ : ૧૪૫
માપક્ષે અમરજીના માતુલ અને માતામહ પણ સમર્થ પુષે હતા. અમરજીનાં માતુશ્રી વેણીકુંવર મૂળ માંગરોળનાં પણ મુગલ સામ્રાજવમાં માળવાના સુબેદાર હતા તે દયારામ કે દયા બહાદુરનાં પુત્રી હતાં. દયા બહાદુર રાજા ગિરિધર બહાદુરના ભત્રીજા થતા. માળવાની ચડાઈ વખતે પેશવા સરકારે જે તે મુગલની સેવા તજી માળવા તેને અધીન કરે તે ત્યાંનું રાજ્ય આપવાનું પ્રલોભન આપેલું તે છતાં આ સ્વામીભકત સરદારે તે સમયમાં સામાન્ય હતું તેમ પક્ષપલટો ન કરતાં ધાર અને આમછરા ગામો વચ્ચે તેલ પાસે પેશ્વાઈ સેનને મુકાબલે કરી પ્રાણ આપ્યા.
પિતૃપક્ષે અને માતૃપક્ષે અમરજીના પૂર્વજો મહાન પુરુષો હતા અને અમરછ બે છીપની મેતી જેવા નિર્મળ અને નીડર કુલદીપક હતા. તેમના યુદ્ધકૌશલ્ય, વીરતા, ઉદારતા, સ્વામીભકિત, ધર્માવલંબન, નીતિ-નિયમોનું પાલન વગેરે ઉમદા ગુણે તેના પ્રતાપ અને પવિત્ર પૂર્વજોનાં લેહી અને સંસ્કારને આભારી હતા. ' તેણે જૂનાગઢમાં પુષ્ટિમાર્ગ હવેલીની સ્થાપના કરી અને હાટકેશ્વરનું નવું શિવાલય પણ તેણે ચણાવી આપ્યું.
કર્નલ વેકર તેના રિપોર્ટમાં સેંધે છે કે “અમરનો ઘાત કરનાર
બ હામેદખાન શરીરમાં અતિશય જાડે હતા. તેનામાં કાપટય, હિચકારાપણું, ઈર્ષ્યા અને લેભ દેખાઈ આવે છે. તેનામાં એક પણ સદ્દગુણ ન હતા. તેની ઉપાધિઓ અને શરમભરેલી દશા, તેની દુષ્ટ આદત અને ચારિત્ર્યહીનતા કારણભૂત હતાં.” કનલ વકર અમરજી માટે લખે છે કે, “અમરજી મનસ્વી રીતે રાજતંત્ર ચલાવતા તે નવાબને રૂચતું નહિ અને જેમ જેમ નવાબની વય વધતી ગઈ તેમ તેમ અમરજીને પદભ્રષ્ટ કરવા તે વિશેષ ઉત્સુક થતે ગયે. અમરજીએ રાજ્યવહીવટમાં નવાબનું વ્યકિતત્વ કે તેની શકિતને કદી પણ ગણતરીમાં લીધાં જ નહિ, તેમ છતાં અમરજીના કોઈ અપરાધની કેઈ સાબિતી મળી નથી. અમરજીની વર્તણક ગમે તેવી હોય છતાં તેણે નવાબની અને તેના ખાનદાનની મહાન સેવા કરી છે એમાં કેઈ શક નથી, એ છતાં નવાબે તેના ધૂનીપણામાં અને બુદ્ધિના અભાવથી તેને વધ કર્યો. નવાબમાં અકકલની ઊણપ છે અને ધૂન છે તે અમરછના ખૂન પછી પણ
1 વિગતો પરિશિષ્ટમાં આપી છે. જુગ.-૧૯