________________
૧૪૪ઃ જૂનાગઢ અને ગિરનાર
કરતા. નિધન હતા એવી અનેક વાર્તાઓ, કેટલાક લેખકેએ તેમના જીવનચરિત્રને અભ્યાસ કર્યા વગર લખી નાખી છે. એક લેખક તે તે બ્રાહ્મણ હતા અને ભિક્ષાવૃતિ ઉપર નિર્વાહ કરતા એમ પણ કહે છે. આ બધાં અનુમાને કંપનાથી જ કરવામાં આવ્યાં છે અને સંપૂર્ણપણે નિરાધાર અને અવાસ્તવિક છે.
તેના પૂર્વજ લાલા માંડ્ઝ એક પ્રતાપી પુરુષ હતા. દીવાન રણછોડજી તેના પૂર્વજોનું વર્ણન કરતાં લખે છે કે:
નાગર વડનગરાનમેં નાનીટી અટક બાસ છરણગઢ બસત હૈ. સહે ન અરિ હે સંક તે નાગર વડનગરસેં નિસે તજી નિજ ધામ લાલા માંડન સ્વજન મિલિ ગયે તુલાજા ગામ ગામ ભૂમિ અરૂ ગરથ દઈ રાખું ય રાજન શ્રી પતિ તાકે સુત ભયે સાહિ કર્યો સન્માન તાકે સુત શિવજી તપી કિને બહુ શુભ કામ વાપી કૂપ તડાગ કિય ધ્વજ જુન શિવકે ધામ તાકે સુત સૈફ ઠછ ગેબ્રિજ કે આધીન તાકે સુત ગોપલઇ કરમ તિહું શુભ કીન પ્રયાગજી સુત કુંવરજી તાકે સુત અમદેશ છતી લઈ સેરઠ જીમી દાબે દેશ વિદેશ રાજનીતિ રાજેન્દ્ર ભયે ઉદય નરભૂપ સકલ સૂરન કો સેઈ કે અવની લઈ અનૂપ
યા મુખતે અમરેશકી કરતી કહી હૈ કઇ - નાગર સાગર સગુન કે હુઓ ન
અમરજીના પિતામહના પિતામહે વાવ, કૂવાઓ અને તળાવ બંધાવેલાં, તેમના પિતા શ્રીપતને રાજાએ ગામ ગિરાસ આપેલાં એ ઉપરથી સ્પષ્ટપણે જણાય છે કે તેના પિતા કે પૂર્વજે નિર્ધન, ભિક્ષુક કે યજમાવૃત્તિ કરનારા બ્રાહ્મણે ન હતા પણ નાગર હતા અને તેની નાણોટી અટેક હતી. જેના વંશજો આજ પણ નાગર બ્રાહ્મણ નહિ પણ નાગર ગૃહસ્થ છે.
1 મહાશિવ રત્નાકર, દીવાન રણછોડજી,