________________
બાબી વંશ પૂર્વાર્ધ ૧૪૧ મેક કે નવાબનાં લગ્ન રાધનપુર નવાબની કુંવરી સાથે થવાનાં છે તેને દાગીના, કપડાં જોવા પધારો. અમરજી ગયા ત્યાં બારણું પાછળ છુપાઈ રહેલા મારાઓએ ઈ. સ. ૧૭૮૪ના માર્ચ માસની છઠ્ઠી તારીખે તેનું ખૂન કર્યું અને નવાબે તેના આખા કુટુંબને કેદ કર્યું.'
આ ખૂનના કાવત્રામાં નવાબે મનેહરદાસ ત્રિકમદાસ વૈશ્નવ, મહેતાબખાન જુબાખાન ગુજરાતી, જીવણખાન અફઘાન વગેરેને મોટાં પદોની લાલચ આપી તેમની સહાય મેળવેલી તેમ તારીખે સોરઠમાં જણાવ્યું છે. પરંતુ તેમાં મનહરદાસ ન હતા અને તે ગાયકવાડના મજમુદાર છે માટે પિતાને કાંઈ હરકત નહિ આવે તેમ માની નવાબે તેમને ખૂન પછી બોલાવી ફૂલ કારખાનું સોપેલું તેમ શ્રી નયનસુખરાય મજમુદાર તેનાં પુસ્તક “કાઠિયાવાડમાં સાર્વભૌમ સત્તા અને મજમુદાર'માં લખે છે.
જેની સરદારી નીચે પિત અનેક યુદ્ધો ખેલ્યાં હતાં તેનું તેના માલિકને હાથે જ ખૂન થયું તે વિષમ ઘટનાથી આરબે વ્યાકુળ થયા અને જમાદાર શેખ મહમદ નદી, મસુદ સાલેહ, અબ્દલા હાદી તથા સંધી જમાદારે સરફુદીન અને મલાકે, નવાબ પાસે દીવાન કુટુંબને મુક્ત કરવા માગણી કરી અને જ્યારે તે વ્યર્થ ગઈ ત્યારે તેઓએ નવાબનું કાર્ય કરવા ઈન્કાર કર્યો.
અમરછના ખૂનથી સૌરાષ્ટ્રમાં હાહાકાર થઈ ગયો. નવાબને તેનાં હીચકારા કૃત્યને કારણે ફિટકાર મળવા માંડયો. વેરી પણ જેના ઘાવ વખાણે એવા દાના દુમન અને મહાન નીતિધર સેનાનીના મૃત્યુથી સમમ સૌરાષ્ટ્ર શોકમગ્ન થયું.
1 જુઓ સૌરાષ્ટ્રના ઈતિહાસની વાર્તાઓ, ભા. ૩. 2 ઉતારથી દળ ઉતરે તેદિ દઈ આડા દિવાન મત હિણા તેં મારીયો ફટ બાબી હામદખાન બડી ભાગ જુનાના ધણ અમારા જેવા આગેવાન કરમ કુટિયા તે કુટિ (કાપીઓ) ધિક બાબી હામદખાન (લેકસાહિત્ય) 3gધુ નગારાં ઘુઘવે બરપે બાધે દેશે
નાગર ધરતી નમાવવા ઓ આવ્યો અમરેશ દશ આંખો દીવાન અંગ તિહારે અમરજી રંગની નાગર રાણ નવખંડ નજર તારી પડે (લોકસાહિત્ય)