________________
૧૪૦ : જૂનાગઢ અને ગિરનાર
મથતા અમરજીને મડાત કરવાના સર્વ પ્રયત્ન જ્યારે નિષ્ફળ ગયા ત્યારે કુંભાછએ. રાજપૂત રાજાઓને એકત્ર કરી અમરનું બળ તાડવાના એક મહાન પ્રયાસ કર્યાં. ઈ. સ. ૧૭૮૨માં જામનગર, હળવદ, ગાંડલ, પોરબંદર, કૈાટડા, જેતપુર વગેરે હિન્દુ રાજ્યાનાં સૈન્યએ કુતિયાણા ઉપર હલ્લા કરી વિશ્રડના આરંભ કર્યાં અને જૂનાગઢ ઉપર આક્રમણ કરવા જેતપુર પાસે પડાવ નાખ્યા.
અમરજીએ તેની સામે પેાતાની છાવણી નાખી દીધી. જૂનાગઢના સદાના વિરોધીઓ બાંટવાના મુઝફરખાન, ફતેહયાબખાન અને ખીજ નાખી સરદારા, માંગરાળના શેખમિયાં વગેરે અમરજીની મદદે આવી પહેાંચ્યા. જામનગરના મેરૂ ખત્રાસે અમરજીનું સૈન્ય જોઈ જગુ . રાવળ નામના દૂત દ્વારા અમરજીના સેનાપતિએ રૂદ્રજી છાયા તથા પૂનરામ વસાવડાને વિષ્ટિ માટે ખેાલાવ્યા. તે રાતે સૂતા હતા ત્યાં મેરૂ ભાદર ઊતરી આગળ વધ્યેા. અમરજીને આ સમાચાર મળતાં તેણે તેના પી પકડી પાંચપીપળા આગળ આંતરી લીધે.
પાંચપીપળા પાસે અને સૈન્ય વચ્ચે તુમુલ યુદ્ધ થયું તેમાં મેરૂ અને તેના મિત્રોના પ્રગટ પરાજય થયા અને તેની છાવણી અમરજીના હાથમાં પડી. મેરૂએ ગાયકવાડની સહાય માગેલી તે આ સમયે આવી પહોંચી પણ યુદ્ધનું પરિણામ જોઈ પાછી ફરી ગઈ. અમરજીએ ત્યાંથી જઈ દેવડાના કિલ્લે પાડી નાખ્યા. સમય વરતી કુંભાજી પણ માફામાફી કરી ગાંડલ ચાલ્યા ગયા. જામનગરના મેરૂ પાસેથી અમરજીએ ખીરસરાના કિલ્લા લઈ તેને પણ જવા દીધા. આમ અમસ્જીએ હિન્દુ રાજાઓનાં સંગઠનને સૌંપૂર્ણ પણે તાડી નાખી નવાબના અસ્તિત્વને નિ ય કરી ધાંધુકા અને ખ'ભાત ઉપર જોરતલબી વસૂલ લેવા ચડાઈ કરી.
અમરજીનુ ખૂન
અમરજીની વીરતા, કૌશલ્ય અને કીતિ થી જેમની પ્રગતિ રૂંધાતી હતી તેવા શત્રુઓએ તેને ઘાત કરવા માટે યુવાન નવાબના કાનમાં ઝેર રેડવા માંડયું. ગોંડલના કુમાજીએ નવાબને અમરજી રૂપી કટક તેના માર્ગ માંથી દૂર કરવા માટી રકમ આપવાની પણ લાલચ આપી. લેાકવાર્તા પ્રમાણે તેણે નવાબને મહેમાન બનાવી તેના મનાર જન માટે ત્રાગાળાનું નાટક ગોઠવી તેમાં અમરજીની વિરૂદ્ધ જાય એવા પ્રસંગેા યાયા. નવાબે તેથી અમરજીના ધાત કરવા નિણ્ય કરી હૅાળીની રાત્રે રાજમાતાના નામે રાજમહેલમાંથી સંદેશા
1 શ્રી કનકરાય મહાસુખરાય, શ્રી જનકરાય ધીરજરાય વસાવડા વગેરેમાં પૂજ