________________
૧૩૬ : જૂનાગઢ અને ગિરનાર
અમરજી કેદ
આવા વીર અને અપ્રતિમ યુદ્ધ કૌશલ્ય ધરાવતા, નિમકહલાલ અને નીડર દીવાને જેના માટે આવડાં મહાન સાહસેા કર્યા... અને જેણે જૂનાગઢની જાગીરમાંથી સારઠનું રાજ્ય સર્જ્યું તે દીવાનને, નવાબ મહાબતખાને, ભીમ ખાજો, જગજીવન કીકાણી, ગુલાબરાય મહેતા, ખુશાલરાય મુગટરામ તથા રાજમાતા સુજાનબીબીના સહકારથી કૈદ કરી લેવા કે તેના ઘાત કરવા વિચાયું. તેણે આ કાવત્રાના પ્રારંભ તરીકે ઈ. સ. ૧૭૬૯માં અમરજીના પક્ષપાતી અને વફાદાર જમાદાર સાલમીનને, માંગરાળ ઉપર ચડાઈ લઈ જવી છે તે મિષે ખેાલાવી ખૂન કરાવ્યુ અને તે પછી તરત જ અમરજી તથા તેના ભાઈ દુલ ભજી, ગોવિંદજી તથા અન્ય કુટુંબીઓને કેદ કરી લીધા. પાંચ માસ પર્યંત તેને કારાવાસમાં રાખી ચાલીસ હજાર કારીના દંડ વસુલ લઈ તેને મુકિત આપતાં અમરજી જૂનાગઢ છેડી ઈ. સ. ૧૭૬૩માં જેતપુર ચાલ્યા ગયા અને દંડની રકમ હાજર હતી નહિ તેથી તે ભરાય ત્યાં સુધી તેના પુત્ર રઘુનાથજીને નવાબે ભાન તરીકે રાખ્યા. તે પછી નવાબ ગુલાબરાય ઉર્ફે ગલુ સામનાથ જોશીપુરાને મદદમાં આપી ભીમ ખાજાને દાવાનગીરી આપી.
દીવાનજીની વિદાયથી જૂનાગઢના શત્રુએએ જોર કર્યું. માંગાળના શેખમિયાંએ માથું... ઉંચકયુ. અને જૂનાગઢનાં ગામડાં લૂંટવા માંડયાં. નવાબે સીમ ખાનને માંગરાળ સર કરવા માકલ્યા પણ શેખમિયાંએ લેાકવાર્તા છે તે અનુસાર કડેલુ અને ભુજીયા માકલી કહેવરાવ્યું કે “તું દાળીયા ભુજ, યુદ્ધમાં તને ખબર ન પડે. અમરજીના જોડામાં તારા પગ બહુ નાના પડે.” આરા અમરજીને વફાદાર હતા. તેમણે તે। સાલમીનના ખૂનના બદલેા ન અપાય અને અમરજી તેનું નેતૃત્વ ન લે ત્યાં સુધી લડવા જ ના પાડી,
નવાબને તેની ભૂલ સમજાઈ ગઈ. તેણે ભીમ ખેાા વગેરેને ખોલાવીને કહ્યું કે અપૂર્વ મ્રુધ્ધિ શકિત અને વીરતા ધરાવતા અમરજીને તમારા સહુના કહેવાથી મે તેની કાઈ પણ કસૂર વગર કાઢયા તે જેતપુર રહે છે. તેને સૌરાષ્ટ્રના રાજા, સૂરતના નવાબ, દીવના પોર્ટુગીઝા વગેરે ખાલાવે છે પણ તે જતા નથી. હવે જામે તેની માફી માંગીને તેી લાવા. આ ઉપરથી
1 આ આમ ત્રણેાની નોંધ તારીખે સેરઠમાં છે, તેમાં ત્રીસ જેટલા રાજાએ તથા સરદારીનાં નામે છે.