________________
ખાખી વંશ-પૂર્વાધ : ૧૩૭
ભીમ ખાજા' વગેરે દરબાર આ જેતપુર ગયા અને દીવાન અરજીની માફી માગી તેને પાછા આવવા વિનંતી કરી. જ્યારે આ પ્રતિનિધિ માળ જેતપુર ગયું ત્યારે ત્યાં કચ્છના રાહું ગાડજીના અધિકારીએ અને અમીરા, અમરજીને કચ્છ આવી દીવાનગીરી સંભાળી લેવાનું આમ ત્રણ આપવા આવેલા પણ દીવાનજી જૂનાગઢની વિન ંતી સ્વીકારીને જૂનાગઢ આવ્યા. નવાબે તેનું સન્માન કરી દીવાનપદે આરૂઢ કરી રઘુનાથજીને મુકત કર્યાં.
મહાબતખાનજીનુ મૃત્યુ
દાવાનજીએ તે પછી સૂત્રાપાડા જીત્યું અને વાગડમાં પેાશીત્રાના કિલ્લામાં આશ્રય લઈ લૂટારાઓ આસપાસના પ્રદેશ લૂંટતા હતા તેને જેર કરવા કચ્છના તથા જામનગરના આમંત્રણથી ત્યાં ગયા. તેએકવાગઢમાં હતા ત્યાં ઈ. સ. ૧૭૭૪ના ડિસેમ્બર માસની ૩૨ જી તારીખે નવાબ મહાબતખાન ગુજરી ગયા. તે સમાચાર સાંભળી તે ક્રમાદમ જૂનાગઢ આવ્યા.
નવાબ બહાદરખાન જેવા દીર્ઘદૃષ્ટા અને મુત્સદ્દી વીરપુરુષના પુત્ર હાવા છતાં મહાબતખાન પહેલામાં દુરંદેશીપણાનેા અને બુદ્ધિના અભાવ હતા. તેના સ્વભાવ કુર, તર`ગી અને ક્રેધી હતા. તે દીવાન અમરજી જેવા એક બાહેશ અને અભૂતપૂર્વ પ્રતિભાવાળા સ્વામીભકતને પણ પ્રેમથી સાચવી શકયા નહિ. તેમની ફઈને પણ રાજી રાખી શકયા નહિ. તેમણે તેમના વફાદાર સૈનિકને પણ ખુશી રાખ્યા નહિ. તેઓ માત્ર ભાગ્યશાળી હતા એટલે જ જૂનાગઢના રાજયાસને રહી શકયા અને દીવાન અમરજી જેવા મહાન સેનાપતિની સહાયુથી રાજ્યનું અસ્તિત્વ ટકાવી તેના વિસ્તાર વધારી શકયા.
હામેદખાનજી ૧લા
ઈ. સ. ૧૭૭૪માં નવાબ હામેદખાન ૧લાને માત્ર આઠ વર્ષની વયે અમરજીએ ગાદીનશીન કર્યાં અને રાજ્યની તેમજ રાજકુટુ બની સમગ્ર જવાબદારી પોતે સ્વીકારી લીધી.
રાજમાતાના વિદ્રોહ
દીવાન અમરજી સર્વસત્તાધીશ થયા તે કારણે કે અન્ય કાઈ કારણસર
1 ભીમ ખાજો મુતાતખાના એટલે પુરવઠા ખાતાનેા અધિકારી હતા.-કહાનદાસ બક્ષીનું આત્મચરિત્ર. જુ. ગ.~૧૮