________________
૧૩૪ : જૂનાગઢ અને ગિરનાર
બે વર્ષ પર્યત સૌ ને અને ધનકેષને સમૃદ્ધ કરી વેરાવળ ઉપર ચડાઈ કરી નવાબના સૌન્યાધિકારીઓ જમાદાર અબ્દલાખાને કિલ્લા ઉપર ધસારો કર્યો અને તે સાથે જમાદાર વહીદુદીને સમુદ્રમાંથી વહાણે ઉપર તપ ચડાવી તપમારો શરૂ કર્યો. વેરાવળ પડયું. કાઝીશેખમિયાં નાસી ગયો અને સુંદરજી દેશાઈ પકડાઈ ગયા. આ પ્રસંગે નવાબની વૃત્તિ દેશાઈની સ્ત્રીઓની ઈજજત જોખમાવવાની હતી પણ અમરજીએ તેમ ન થવા દીધું. નવાબને અમરજીની ઈચ્છા આગળ શિર ઝુકાવવું પડ્યું. દીવાને
. નવાબે શેરઝમાન ખાનને તેના પદેથી દૂર કરી પિપટ પારેખને દીવાનપદે નીમ્યો પણ તેને ત્રીજે જ દિવસે છૂટો કરી ઝવેરચંદને દીવાનપદું આપ્યું. તેને પણ વીસ દિવસમાં જ બરતરફ કરી મૂળચંદ પારેખને દીવાનપદ આપ્યું પણ તેને પણ એક માસ રાખી મુક્ત કર્યો. શેર ઝમાનખાનનું બંડ
- દીવાનેની ત્વરિત ફેરબદલીઓ અને નવાબની વિચિત્ર માનસિક સ્થિતિને લાભ લેવા શેર ઝમાનખાને જૂનાગઢની ગાદી સ્વાધીન કરવાને પ્રબળ પણ નિષ્ફળ પ્રયાસ કર્યો. ઈ. સ. ૧૭૬૯માં તેણે મજેવડી દરવાજા પાસેના સારત બાગમાં સૈનિકેની જમાવટ કરી એક સવારે તેણે ઓચિંતે કિલ્લા ઉપર હલે કર્યો પણુ શબંધી વેળાસર ચેતી જતાં આ હલે પાછો વાળે અને શેરઝમાનખાન તેના સૈન્ય નાસે તે પહેલાં જ નાસી ગયો. દીવાનપદે અમરજી
મહાબતખાન જેવા અસ્થિર મનના રાજકર્તાને અંકુશમાં રાખી શકે એવી વ્યક્તિ જ દીવાનગીરી કરી શકે અને દીવાનગીરીની સ્થિરતા થાય તે ક જ રાજ્યનું અસ્તિત્વ રહે તે સ્વાભાવિક હતું. ભાગ્યશાળી નવાબને આ સત્ય સૂઝયું અને તેણે અમરજીની દીવાનપદે નિમણૂક કરી. અમરજીના વિજય - અમરજીએ દીવાનગીરી સંભાળીને તરત જ તેની વિયાત્રાને. પ્રારંભ કર્યો. તેણે દલખાણિયા, કુતિયાણ, સૂત્રાપાડા, દેવડા, શીલ દીવાસા, મહિયારા અને બગસરાના કિલાએ લીધા.અને છેક ઉના સુધીના પ્રદેશ ઉપર તેને વિજયધ્વજ ફરકાવ્યો. તેણે સૌરાષ્ટ્રના સર્વે રાજ્યો પાસેથી જેરતલબી નામને વેરે પણ વસૂલ કર્યો અને ભાવનગર ઠાકોર વખતસિંહજીની 1. વિગતો માટે જુઓ સૌરાષ્ટ્રનો ઈતિહાસ -. હ. દેશાઈ.