________________
૧૩૦ : જૂનાગઢ અને ગિરનાર કાર્યમાં સહાય કરવા માટે રાજી આપ્યું નહિ હેય પણ રાજી વસંતરાયની જાગીરમાં હતું તે જાગીર તરીકે હાજીને આપ્યું હશે અને પિતાની હકૂમત તે પછી ગીરવી મૂકી હશે. બહાદરખાન સ્વતંત્ર - ઈ. સ. ૧૮૫૭માં અમદાવાદમાંથી પાદશાહી ધજા સદાને માટે સંકેલાઈ ગઈ અને બહાદરખાને સંપૂર્ણ સ્વતંત્ર કારભાર શરૂ કર્યો. બહાદરખાનનું મૃત્યુ - ઈ. સ. ૧૭૫૮માં બહાદરખાન ગુજરી ગયો. તેને પાંચ પુત્રો હતા તેમાં સૌથી મોટા મહાબતખાનને ગાદીએ બેસાડવામાં આવ્યા. આ સમાચાર સાંભળી તેનાથી નાના ભાઈ સરદાર મહમદખાન વાડાસિનેર હતા તેણે ત્યાં પોતાના નામની આણ ફેરવી દીધી અને મહાબતખાને તેની ચિંતા કરી નહિ. ' બહાદરખાન એક દીર્ઘદૃષ્ટા અને કુનેહબાજ સરદાર હતો, તેણે આથમતી મુગલાઈમાં અનેક શત્રુઓના વિરોધ છતાં મુત્સદ્દીગીરીથી અને ધીરજથી જૂનાગઢ અને વાડાસિનેરમાં પિતાની હકૂમત સ્થિર કરી. તેના પૂર્વજીવનમાં તેણે એક શરવીર યોદ્ધા તરીકે અને રાજનીતિજ્ઞ તરીકે નામના મેળવેલી. મુગલોના પ્રખર શત્રુ મરાઠાઓની પણ તેણે પ્રશંસા અને વિશ્વાસ મેળવેલાં પરંતુ જયારે વસંતરાયે ઉપરકેટને કબજે કર્યો ત્યારે તેને હિમ્મતથી સામને કરવાને બદલે તેણે નાસી જવાનું ઈષ્ટ ધાયું તે તેની ઉજજવલ કારકિર્દી ઉપર ઝાંખપ પાથરે છે તેમ છતાં તે શાંત, ઠરેલ અને વિચારશીલ પુરુષ હતા તેમાં શંકાને કઈ સ્થાન નથી.' મહાબતખાન ૧લા',
મહાબતખાને ગાદીએ બેસતાં જ તેના ફુર અને ક્રોધી સ્વભાવનું પ્રદર્શન કરવા માંડયું. શેરખાન જેવા દીર્ઘદૃષ્ટા, શાંત અને ગંભીર પિતાના પુત્રને યેગ્ય નહિ એવું વર્તન કરી તેણે પ્રજાની અને રાજ્યના અધિકારીઓની ચાહના ગુમાવી દીધી. જગન્નાથ ઝાલાનું ખૂન
જેણે શેરખાનને એક સરદારમાંથી નવાબ બનાવ્યો અને જૂનાગઢનું રાજય પ્રાપ્ત કરવાના તેના સાહસમાં સંનિષ્ઠ અને સક્રિય સાથ આપે તે જગનાથ 1 બહાદરખાને હિન્દુ મુસ્લિમ ધર્મસ્થાનને દાન આપ્યાં છે. તેને એક રૂકે છે તેમાં
નરસિંહ મહેતાના ચોરા તથા ભવનાથ મંદિરને રોજની એક રેટી આપવા ચબૂતરા ઉપર હુકમ છે.