________________
બાબી વંશ-પૂર્વાર્ધ ૧૨૯ અકબર સિકે ઝરબે જૂનાગઢ બાસુન” શબ્દ ફારસીમાં અને “શ્રી દીવાન” તથા સંવત દેવનાગરીમાં લખ્યા. તે સાથે ત્રાંબાના દેકડા અને અધેલા-અર્ધા દોકડા પણ ટંકશાળમાંથી બહાર પાડયા. . જગનાથ ઝાલા
બહાદરખાનને જૂનાગઢનું રાજય પ્રાપ્ત કરાવી આપનાર દલપતરામ ઈ. સ. ૧૭૫૦માં ગુજરી ગયા અને તેને પુત્ર સગીર હોવાથી તેને દીવાનપદ ન આપતાં જગન્નાથ ઝાલાની તેણે પિતાના દીવાન તરીકે નિમણૂક કરી. ઉપરકેટને કબજે
આ સમયે આરબના પગાર ચડી જતાં, જમાદાર શેખ અબ્દલાએ ઉપરકેટને કબજે કરી લઈ તેના બેડાને ચડત પગાર ચૂકવી દેવા તકાદે કર્યો. બહાદરખાન પાસે ન તો ધન હતું, ન તે અબ્દલાને પરાસ્ત કરવાની તાકાત હતી તેથી તેણે જગન્નાથ ઝાલાને, આરબોને હાંકી કાઢવા માટે યોગ્ય પ્રવૃત્તિ કરવા વિનંતી કરી. જગન્નાથ ઝાલાએ બહાદરખાનને જમાબંધી કરવાને મિષે જૂનાગઢ બહાર જવા સલાહ આપી અને તેના ભાઈ રૂદ્રજીને ઉપરકેટમાં મોકલી ત્યાં સંગ્રહ કરેલો દારૂગોળે કબજે કરી લીધો. બળવાખોર આરબો પાસે દારૂગોળા નથી તેમ ખાત્રી થતાં બહાદરખાનને જગન્નાથે મોકલેલા સંદેશા ઉપરથી, જૂનાગઢ આવી જગન્નાથ ઝાલાની મદદથી ઉપરકેટ ઘેર્યો. આરબને તે પગારની જરૂર હતી તેથી ગોંડલ ઠાકાર હાલાજીના પુત્ર કુંભાજીએ વચ્ચે પડી ચડત પગારની રકમ ચૂકવી આપી અને બહાદરખાને તેને ત્યાં ધોરાજી ગીરે માંડી આપ્યું. આરબો જૂનાગઢ છેડી ચાલ્યા ગયા. ધરાજી
ગોંડલના ઈતિહાસમાં, હાલોજીએ વસંતરાય પુરબીયાને કાઢવામાં મદદ કરવા માટે, બહાદરખાને ધોરાજી આપ્યું તેમ જણાવ્યું છે. તારીખે સોરઠમાં ધોરાજી આ પ્રસંગે ગીરે મૂકયું હતું તેમ નંધ્યું છે. જૂનાગઢ રાજ્ય પ્રસિદ્ધ કરેલા ઈતિહાસમાં આ પ્રસંગે બહાદરખાનના હજુરી શેખ મહમદ બેદીએ આરબોને પગાર ચૂકવવા ધોરાજી માંડી આપ્યું હતું તેમ કહેવામાં આવ્યું છે. આ ત્રણ વિધાને વિચારતાં એમ જણાય છે કે વસંતરાયને હાંકી કાઢવાના
૧ આ કેરી દીવાનશાહી કહેવાતી માટે દીવાન અમરજીએ પડાવેલી તેવી પ્રચલિત માન્યતા
છે તે બરાબર નથી. બાબીન ખિતાબ દીવાન હતો તેથી દીવાનશાહી કહેવાઈ. જૂ.ગ.-૧૭