________________
૧૨૮ : જૂનાગઢ અને ગિરનાર
હતો તે હવેલી ઘેરી ગોળીબાર કરવા માંડશે. વસંતરાયને નાસી ગયા સિવાય છૂટકે નહતા તેથી તેના સાથી હઠીસિંગ સાથે તેના કુટુંબીઓને હવેલીના પાર્લા બારણેથી બહાર મેલી પિતિ બીલખા તરફ નાસી ગયે.
હાલેજ તથા દલપતરામ ઉપરકેટ પાસે મુગટરાય દેશાઈની હવેલીમાં ઊતરેલા. તેમણે જૂનાગઢમાં બહાદરખાનની આણ ફેરવી, પણ થોડા જ દિવસોમાં વસંતરાયે માણશીયા ખાંટના આઠથી દશ હજાર માણસ સાથે વાગીશ્વરી દરવાજા પાસેથી શહેરમાં દાખલ થઈ મુગટરામની હવેલી લૂંટી, ઉપરકોટમાં દાખલ થઈ દરવાજા બંધ કરી દીધા. - દલપતરામ તથા હાલાજીએ ઉપરકેટને ઘેરો ઘાલ્યો. આ ઘેરો આઠ માસ પર્યત ચાલતો રહ્યો. બન્ને પક્ષે મકકમ હતા. અંતે વસંતરાયે હાલોજીને મુસ્લિમ પક્ષને મદદ ન કરતાં તેને સહાય કરવા વિનંતી કરી અને કહેવરાવ્યું કે જે હાલાજી બહાદરખાનને જૂનાગઢમાં ફરી ન આવવા દે તે તેનું અર્ધ રાજ હાલજી રાખે પણ હાલોજી એકના બે ન થયા. તેણે ઉપરકેટમાં પુરવઠા જતા બંધ કર્યો અને દુર્ગમાં જતા માર્ગો ફુધી રાખ્યા. વસંતરાયને વિશેષ સમય ટકવું શકય ન લાગ્યું તેથી તે નાસી ગયે.
હાલોજી તથા દલપતરામે જૂનાગઢમાં બહાદરખાનની આણ ફેરવી અને તેને જુનાગઢ આવવા આમંત્રણ મોકલ્યું પરંતુ બહાદરખાનને તેમને વિશ્વાસ ન હતિ તેથી તે મોરબી આવ્યા અને જૂનાગઢના બે વિજેતાઓ મેરબી જઈ બહાદરખાનને તેડી લાવ્યા. - બહાદરખાને આ ઉપકારના બદલામાં હલેજને ધોરાજી વગેરે ગામે “ આપ્યાં. ઉપરકેટના ઘેરામાં હાલના ભાયાત સુમરાજી કામ આવી ગયેલા તેના પુત્રોને બે ગામો ભાંખ અને અરણ આપ્યો અને તેની હકૂમત ગેડિલને આપી, ઈશ્વરજી બૂયને વાર્ષિક સે કરીનું વર્ષાસન બાંધી આપ્યું.' બહાદરખાનના સિકકા
બહાદરખાને જૂનાગઢની ગાદીએ બેસી “મહમૂદી”નું ચલણ બંધ કરી પિતાની હકૂમત સ્વતંત્ર છે તે દર્શાવવા તેના નામના રૂપાના સિકકા પાડયા જે દીવાનશાહી કરીને નામે પ્રસિદ્ધ થયા. તેના ઉપર “બાદશાહ ગાઝી મહમદ
1 જાડેજાને ઈતિહાસ, શ્રી રાજવૈદ જીવરાજ કાલિદાસ શાસ્ત્રી. જૂનાગઢના ઈતિહાસમાં
આ ગામે ઈ. સ. ૧૭૫૮માં આરબોએ બંડ કરી ઉપરકોટ કબજે કરેલ ત્યારે આપવામાં આવેલાં તેમ જણાવ્યું છે તે ચર્ચા આગળ કરવામાં આવી છે.