________________
૧૨૬ ઃ જૂનાગઢ અને ગિરનાર
હેલો ધારણ કરી ઈસ. ૧છ૪માં પાદશાહના નામે સ્વતંત્ર રાજય કરવાનું શરૂ કર્યું અને જૂનાગઢમાં બાબી વંશની સ્થાપના કરી.
તેણે તેના તંત્રની સમગ્ર જવાબદારી તેના કારભારી દલપતરામ નાગરને સાંપ આપી. . . વસંતરાય પુરબીઓ * આ સમયે વસંતરાય પુરબીઓ નામને એક બળવાન સરદાર જાનાગઢમાં રહેતો તેણે એક મોટી સેને ઉભી કરી માણુશીયા નામના ખાંટ સરદાર સાથે ઐકય કરી, ઉપરકેટમાં ચડી જઈ શેરખાનના અધિકારને પડકાર કર્યો અને જૂનાગઢમાં પિતાની હકૂમત સ્થાપવાનાં ચક્રે ગતિમાન કર્યા.
દીવાન દલપતરામ અમદાવાદ ગયેલા અને તેની ગેરહાજરીમાં જગન્નાથ ઝાલા કારભાર કરતા તે કાંઈ કરે તે પહેલાં વસંતરાયે બહાદરખાનને કેદ કરી લીધા અને જૂનાગઢનું તંત્ર સ્વાધીન કર્યું. ' બહાદરખાનની સ્થિતિ વિષમ થઈ ગઈ. તેને પ્રથમ ગ્રાસે મક્ષિકા આવી
અને પેશ્વા, ગાયકવાઠ કે શહેનશાહ જેવી સત્તાઓ તરફથી નહિ પણ વસ તરાય પુરબીયા જેવા એક સરદાર તરફથી ઉપસ્થિત કરવામાં આવેલ વિરોધ તેના માર્ગમાં અવરોધક થઈને ઊભો રહ્યો. વસંતરાયના કારાગૃહમાંથી મુક્તિ મળે તેવી કોઈ આશા ન હતી અને પરિણામ અનિશ્ચિત હતું ત્યાં તેની વફાદાર અને નિમકહલાલ સેનાની જગનાથ ઝાલા નામના નાગરે બુદ્ધિપૂર્વક યંત્ર રચી તેને નાસી જવાને માર્ગ કરી આપ્યો અને બહાદરખાન રાતને અંધારપછેડો ઓઢી જૂનાગઢ છોડી નાસી ગયા.
તેણે અમદાવાદ જઈ દીવાન દલપતરામને પોતાને એક બહુમૂલ્ય બાજુબંધ આપી, તેને વેચી તેમાંથી સૈન્ય ઊભું કરી જૂનાગઢ ઉપર ચડવા આજ્ઞા કરી. - દલપતરામ આવી પહોંચે તે પહેલાં વસંતરાયે જૂનાગઢને સીમાડે ધેરાજી, સુપેડી, નાની મારડ અને પીપળિયા ગામમાં પિતાનો ગીરાસે હતા ત્યાં હકૂમત
1 તારીખે સેરઠમાં માણશયો ખાંટ હતો એમ કહેવામાં આવ્યું છે. ફારસીમાં ખાંડ અને
કાઠી લખાવવામાં માત્ર એક અક્ષર વધે છે અને એક ખૂટે છે એટલે તે કાઠી હતો તેવી પણ એક માન્યતા છે અને તેના આધારે લોકસાહિત્યમાં ચાંચઈ પાણીયાના કાઠી દર બાર માણશીયાવાળાએ જુનાગઢ સ્વાધીન કર્યું હતું તેવી વાત છે. તારીખે સેરઠની મૂળ ફારસી પ્રત તપાસતાં તેમાં ખાંટ શબ્દ છે. આ બાબતમાં વિશેષ ખાત્રી કરવા કોઈ અન્ય સાધન નથી.